SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શીલત་નતિચાર ભાવના ૧૯૩ આ પ્રકારે પરમાર્થ અને વ્યવહાર બન્ને ભેદે વિનય ધારણ કરીને ગૃહસ્થે વર્તવા યાગ્ય છે. જુએ, સર્વસંગના પરિત્યાગી, વીતરાગી મુનીશ્વરને પણ કોઇ મિથ્યાવૃષ્ટિ વંદના કરે છે તેને આશીર્વાદ દે છે. ચંડાળ, ભીલ, માછી આદિ અધમ જાતિવાળા પણુ વંદના કરે તેને “ પાપના ક્ષય હા’” ઇત્યાદિ આશીર્વાદ દે છે. વિનય અંગ ધારણ કરે છે તે ખાળ, અજ્ઞાન, ધર્મરહિતના તથા નીચ અધમ જાતિના હોય તેના પણ વિનય ન કરો તાપણુ તિરસ્કાર, નિંદા કદી કરવા. યોગ્ય નથી. આ મનુષ્ય જન્મની શાલા વિનય જ છે. વિનય વિના મનુષ્યભવની એક ઘડી પણ અમારી ન જાઓ એમ ભગવાન ગણધર દેવ કહે છે. આવેા વિનય ગુણુના મહિમા જાણી અર્ધું ઉતારી તેની મહાપૂજા કરો. હું વિનયસંપન્નતા અંગ ! અમારા હૃદયમાં તું જ નિરંતર વાસ કર. તારી કૃપાથી હવે મારે આત્મા કી આઠ મદ વડે અભિમાનને પ્રાપ્ત ન થાઓ ! ૩. શીલવતેશ્વનતિચારભાવના : શીલવ્રતધ્વનતિચારના એવા અર્થ વાર્તિકમાં કહ્યો છે કે અહિંસા આદિ પાંચ વ્રતા અને એ વ્રત પાળવા માટે ક્રોધાદિ કષાયના ત્યાગરૂપ શીલ વિષે જે મન, વચન, કાયાની નિર્દોષ પ્રવૃત્તિ તે અતિચાર રહિત શીલવ્રતાની ભાવના છે. શીલ એટલે આત્માના સ્વભાવ તેને નાશ કરનારાં હિંસા આદિ પાંચ પાપ છે. તેમાં કામસેવન નામનું એકલું પાપ હિંસા આદિ સર્વ પાપાને પુષ્ટ કરે છે, ક્રોધ આદિ કષાયાની તીવ્રતા કરે છે તેથી બ્રહ્મચર્યનું જ પ્રધાનતાથી વર્ણન કર્યું છે.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy