SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સમાધિ-પાન આદિ કેઈ ઉદયમાં આવેલા કર્મને ટાળવા સમર્થ નથી. તમે આ સારી રીતે સમજે છે, તે હવે આ વેદનામાં કાયર થઈને પિતાને ધર્મ, યશ અને પરલેક કેમ બગાડો છે? તે બગાડીને સ્વછંદ ચેષ્ટા, વિલાપ આદિ કરવાથી વેદના ઘટવાની નથી. જેમ જેમ કાયર થશે તેમ તેમ વેદનાનું દુઃખ વધતું જશે. તેથી હવે સાહસ ધારણ કરે; પરમ ધર્મનું શરણ ગ્રહણ કરે. સંસારમાં નરક, તિર્યંચભવ ધરીને ભૂખ, તરસ, રંગ, સંતાપ, માર, ઘાત, શીત, ઉષ્ણ આદિ ઘોર દુખ, અસંખ્યાત કાળ પર્યંત, અનેક વાર અનંત ભવમાં ભેગવ્યાં છે. આ દુઃખ તમારું કેટલુંક છે? ચેડા કાળમાં નિર્જરી જશે. રેગ-વેદના દેહને નાશ કરશે, તમારા ચેતનસ્વરૂ૫ આત્માને નાશ કરી શકશે નહીં. દેહને નાશ તે અવશ્ય થવાને છે. જે દેહ ધારણ થયેલ છે તે અવશ્ય છૂટશે. તે હવે સાવધાન થાઓ! કર્મ જીતવાનો આ અવસર આવ્યો છે. પંચ પર મેષ્ઠીનું શરણ ગ્રહણ કરી પિતાના અજર, અમર, અખંડ, જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપનું ગ્રહણ કરો. આ અવસર ફરીથી મળ દુર્લભ છે.” ઈત્યાદિ ધર્મને ઉપદેશ આપી ધર્મથી પડતા જીવને ધર્મમાં સ્થિર કરે. અનિત્ય, અશરણ આદિ બાર ભાવનાનું ગ્રહણ ઝટ કરાવવું ત્યાગ, ત્રેતાદિ છેડી દીધાં હેય તે ફરી ગ્રહણ કરાવવાં. શરીરના દાબવા આદિ વડે દુઃખ દૂર કરવું. કેઈ ચાકરી કરનાર ન હોય તે પિતે સેવા કરવી. બીજા કોઈ સાધમીને જેગ મેળવી દે. આહારપાણી, દવા વગેરે વડે સ્થિતિકરણ કરવું. મળ, મૂત્ર, કફાદિ હેય તે દેવાં, સાફ કરવાં. નિર્ધનતાથી ચળી જતે હેય
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy