SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર સમાધિ-પાન ઈચ્છતા હો, અને અનંત અવિનાશી સુખમય આત્માને ઈચ્છતા હો તે અન્ય સર્વ પર દ્રવ્યની અભિલાષા છેડી એક સમ્યગ્દર્શનની જ ઉજજવળતા કરે. દર્શન વિશુદ્ધ કેવી છે? મેક્ષના સુખનું કારણ છે, દુર્ગતિને દૂર કરનારી છે, વિનય-સંપન્નતા આદિ પંદર કારણભાવનાઓનું મૂળ કારણ છે; દર્શનવિશુદ્ધિ ન હોય તે બીજી પંદર ભાવનાઓ હોતી નથી, તેથી સંસારનાં દુઃખરૂ૫ અંધકારને નાશ કરવાને સૂર્ય સમાન છે; ભવ્ય જીને પરમ શરણરૂપ છે. | દર્શનવિશુદ્ધિ ભાવના ભાવી સ્વપર દ્રવ્યનું ભેદવિજ્ઞાન ઉજજવળ થાય તે પુરુષાર્થ કરે. આ જીવે અનાદિ કાળના મિથ્યાત્વ નામના કર્મને વશ થઈ પિતાના સ્વરૂપની અને પરની ઓળખાણ જ કરી નહીં, નામકર્મના ઉદયથી જેવો દેહ પામે, તેવા દેહને જ પિતાનું સ્વરૂપ માની, પિતાના સત્યાર્થ સ્વરૂપના જ્ઞાન વિષે અંધ બની, પિતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈને ચારે ગતિમાં ભ્રમણ કર્યું. દેવ-કુદેવને જીવ જાણતું નથી, ધર્મ-કુધર્મને જાણ નથી, સુગુરુ-કુગુરૂને જાણતું નથી. તેમજ પુણ્ય-પાપના, આ લેક-પરલેકના, ત્યાગવા ગ્ય કે ગ્રહણ કરવા ગ્યના, ભક્ષ્ય–અભયના, સત્સંગ-કુસંગના અને શાસ્ત્ર-કુશાસ્ત્રના વિચાર રહિત કર્મના ઉદય-રસમાં એકરૂપ થઈને પિતાના હિત–અહિતની ઓળખાણ વગર પરદ્રવ્યોમાં લાલસા રાખીને સર્વ કાળ જીવ લેશિત થઈ રહ્યો છે. કોઈ અકસ્માત કાળલબ્ધિના પ્રભાવથી ઉત્તમ કુળાદિ તથા જિનેંદ્રધર્મ પામે છે. તેથી
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy