SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારભાવના ૧૦૩ માટે પૂરતું ધન ન હોવાથી મહા દુઃખી છે. કેઈ વરગ્ય મેટી પુત્રીને વરને વેગ મળતું ન હોવાથી મહા દુઃખી છે. કોઈને કન્યા આંધળી, લૂલી, બબડી, ગાંડી, અપંગ અને કદરૂપી હેવાથી મહાદુઃખ છે. પુત્રીને વિવાહ, કુબુદ્ધિ, વ્યસની, નિર્ધન, રેગી, પાપી વર સાથે થવાથી કે પુત્રી નાની ઉંમરમાં વિધવા થવાથી કે પુત્રી નિર્ધન, દુઃખી થવાથી કોઈ મહાદુઃખી થાય છે. કોઈને પુત્રી વ્યભિચારિણી થવાથી મરણથી પણ અધિક દુઃખ થાય છે. કોઈને પરણાવેલી પુત્રી મરી જવાથી દુઃખ થાય છે. કોઈને માતા-પિતાના વિયેગનું દુઃખ થાય છે. કોઈને પિતા કોઈ જોરાવર, નિર્દયી માણસનું દેવું મૂકતા જાય તેનું દુઃખ હોય છે, કારણ કે દેવા જેવું દુઃખ નથી. કોઈને પિતા દેવું કરતા જાય તેનું દુઃખ; માતા, બહેન વ્યભિચારિણી દુષ્ટ હોય તેનું મહા દુઃખ; કોઈ પરાણે એમનું હરણ કરી જાય, લઈને નાસી જાય તેનું મહા દુઃખ; પિતાની પ્રજાને કોઈ ચેર લઈ જાય કે મારી જાય તેનું ઘર દુઃખ; દુષ્ટ માણસેના સમાગમનું દુઃખ; દુષ્ટ અન્યાયી અધમી ભાગીઓ વેપારમાં હોય તેનું મહાદુઃખ, દુષ્ટ અન્યાયીના હાથ નીચે નોકરી કરવાની હોય તેનું દુઃખ; મનુષ્ય ભવમાં ધનવાન થઈને નિર્ધન થઈ ગયાનું દુઃખ; માનભંગનું તથા પિતાને મિત્ર થઈને પછી છિદ્રો પ્રગટ કરનાર, જૂઠાં આળ મૂકનાર શત્રુ થાય તેનું ભારે દુઃખ છે. આ સંસાર–વાસ સર્વ પ્રકારે દુઃખરૂપ જ છે. રાજાને રંક થઈ જાય છે, રંકને રાજા થઈ જાય છે, ઈત્યાદિ મનુષ્ય ભવમાં ઘણું દુઃખ છે. .
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy