SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારયાવના ચિરાય છે, વટાય છે, ઘસાય છે, ગળાય છે, નીચેવાય છે, ઘણુમાં પીલાય છે, કચરાય છે. એમ નાના પ્રકારે ઘેર દુઃખ આ જીવ પામે છે. એકેન્દ્રિયના ભવમાં બોલવાને જીભ નથી, દેખવાને નેત્ર નથી, સાંભળવાને કાન નથી, હાથ, પગ, વગેરે અંગઉપાંગ નથી; ત્યાં કઈ રક્ષક નથી. અસંખ્યાત અનંત કાળ પર્યત ઘેર દુઃખમય એકેન્દ્રિયપણાથી છુટાતું નથી. મિથ્યાત્વ, અન્યાય, અભક્ષ્ય આદિના પ્રભાવથી જીવન જ્ઞાન આદિ ગુણો નાશ પામે છે. એકેન્દ્રિયમાં અ૮૫ માત્ર પર્યાયજ્ઞાન રહે છે. આત્માને સર્વ પ્રભાવ, શક્તિ, સુખ નાશ પામે છે. ચેતન તે જડ, અચેતન જે થઈ જાય છે, માત્ર અત્યંત અલ્પ જ્ઞાનની સત્તા એક સ્પર્શ ઈદ્રિયદ્વારા વર્તતી હોય છે. તે જ્ઞાનીના જાણવામાં આવે છે. સમસ્ત શક્તિ રહિત, કેવલ દુઃખમય એકેન્દ્રિયના ભવમાં જન્મ-મરણ આદિનાં દુઃખ જીવ ભોગવે છે. કદાપિ કેઈ ત્રસ (બે દદ્રિય આદિ) ભવ પામે તે વિકલ ચતુષ્ક (બેઇંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય, મન વગરના પંચેન્દ્રિય) ભવમાં ઘેર દુઃખ ભોગવે છે. લહલહાટ કરતી જીભ ઈદ્રિયને માર્યો, તીવ્ર ભૂખતરસમય વેદનાને માર્યો, જીવ નિરંતર આહાર શેલતે ફરે છે. ઈયળ, કીડી, કીડી પિતાનાં મુખ ફાડી આહાર માટે દોડતાં ફરે છે. માખી, કળિયા, મચ્છર, ડાંસ ભૂખનાં માયાં નિરંતર આહાર શેધતાં ફરે છે, રસમાં પડે છે, પાણીમાં પડે છે; અગ્નિમાં પડીને મરી જાય છે પવનના ઝપાટાથી કે વસ્ત્રની પછાડથી
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy