________________
દાન
આકુલતામય દુ:ખનું ને અશાંતિનું કારણ થઈ પડે છે. આવા અનુપશમના નિવાસધામરૂપ આરંભપરિગ્રહ મધ્યે ‘વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે.”
આમ દુ:ખના મૂળરૂપ આરંભપરિગ્રહ આડે જીવને ધર્મ સૂઝતો નથી અને તે આત્મલાભને ઘાતક થઈ પડે છે. એટલું જ નહિ પણ અનિચ્છાએ તેનો ઉદયપ્રસંગ હોય તોપણ તે આત્મભાવના ઉત્કૃષ્ટપાણાને બાધ કરનાર તથા આત્મસ્થિરતને અંતરાય કરનાર પ્રાયે થાય છે. એટલા માટે જ જ્ઞાનીઓએ આરંભપરિગ્રહના ત્યાગનો પુન: પુન: ઉપદેશ કર્યો છે, –જે મુમુક્ષુએ ફરી ફરી મનન કરી જેમ બને તેમ આદરથી અનુસરવા યોગ્ય છે. (દોહરા) આરંભપરિગ્રહ જાળ એ, વૈરાગ્ય ઉપશમ કાળ;
પાપમિત્રની જોડી એ, બાળ બાળ તત્કાળ.
शिक्षापाठ ३१ : दान જેમ જેમ આરંભપરિગ્રહની નિવૃત્તિ થાય, તેમ તેમ આત્મા પોતાના જ્ઞાનસંપત્તિમય સ્વરૂપનું દાન પોતાને કરે છે, અને પરભાવને વિષે અહંત- મમત્વ ઘટવાથી તેની ત્યાગવૃત્તિ ઉદય પામે છે, જેથી દ્રવ્યથી પણ તેની દાનપ્રવૃત્તિ ઉદારપણે પ્રવર્તે છે. આ દાન ધનથી જ થઈ શકે વા ધનવાન જ કરી શકે એ માન્યતા ભૂલભરેલી છે. દાન તનથી, મનથી, વચનથી, ધનથી વિવિધ પ્રકારે થઈ શકે; અને તે દાનનો પ્રવાહ દેશકાળાનુસારે યોગ્ય વહેણોમાં વાળવો જોઈએ. દાન કરનાર, કરાવનાર અને અનુમોદનાર એ સમાન ફળના ભાગી થાય છે. સુપાત્ર સક્ષેત્રે યોગ્ય કાળે ભક્તિથી વાવેલું અલ્પદાનરૂપ યોગબીજ પણ, વટબીજની જેમ ફાલીકલી, મહા યોગવૃક્ષમાં પરિણમી મોક્ષફળ આપે છે. જે સત્પાત્ર સુક્ષેત્રે દાન આપે છે, તે મોક્ષમાર્ગન ધારી રાખે છે, એમ મહાનિગ્રંથ મુનીશ્વર શ્રી પદ્મનંદિજીએ કહ્યું છે. દાન એ