________________
સિદ્ધસેન દિવાકર અને સમભદ્રાચાર્ય
૭૩
शिक्षापाठ २९ : सिद्धसेन दिवाकर अने
समंतभद्राचार्य જ્ઞાન-કિયા, નિશ્ચય-વ્યવહાર આદિનું સમન્વયપૂર્વક પરસ્પર સાપેક્ષપણે સમ્યક પ્રતિપાદન કરનાર અનેકાન્તની પ્રતિષ્ઠામાં શ્રી સિદ્ધસેન દિવાકરનો અને શ્રી સમંતભદ્રાચાર્ય નો ફાળો અનન્ય છે. દાર્શનિક પદ્ધતિએ જિનદર્શનના ન્યાયનો પાયો નાંખનારા આ બન્ને મહા જ્યોર્તિધરોએ જિનદર્શનની અપૂર્વ પ્રભાવના કરી છે. આ બન્ને મહાપ્રભાવકોમાં શબ્દગત, શૈલીગત ને વસ્તુગત ઘણું સામ્ય દશ્ય થાય છે. મહા તાર્કિક તરીકે પ્રસિદ્ધ આ બન્ને મહાકવિઓએ દર્શન-ન્યાય જેવા કઠિન વિષયમાં પણ કવિતા સુંદરીને વાલ્મય રંગભૂમિ પર યથેચ્છ નૃત્ય કરાવ્યું છે. એ જ એમનું આ વિષયનું અપૂર્વ પ્રભુત્વ દાખવે છે. બન્નેની મહાસુતિકાર તરીકેની
ખ્યાતિ અપ્રતિમ છે. બૃહસ્વયંભૂ સ્તોત્ર આદિમાં સમન્તભદ્રજીએ તથા બત્રીશ બત્રીશી-કલ્યાણમંદિર આદિમાં દિવાકરજીએ,– એમ આ બને ભકતશિરોમણિ મહાત્માઓએ પરીક્ષાપ્રધાનીપણે તાત્વિક ભક્તિનો અનુપમ રસપ્રવાહ વહાવ્યો છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી જેવા પણ શ્રી સિદ્ધસેન દિવાકરને અંજલિ અર્પતાં વેદે છે કે મહાથવાળી સિદ્ધસેનની સ્તુતિઓ ક્યાં? ને આ અશિક્ષિતની આલાપક્લા જેવી હારી સ્તુતિ ક્યાં? “નવ સિદ્ધસેનસ્તુતિયો મહા શિક્ષિત -નવ વૈષા !' અને જ્ઞાનાર્ણવ જેવા મહા યોગશાસ્ત્રના કર્તા મહર્ષિ શ્રી શુભચંદ્રાચાર્યજી જેવાએ પણ કવીન્દ્ર સમન્વભદ્રને ભાસ્કરની ઉપમા આપી તેવીજ ભવ્ય અંજલિ અપ છે: સમન્તમદ્રારિ વીન્દ્ર પાર્વતાં ઋત્તિ યત્રામનસૂવિતરક્ષય: " ઇ.
આવા આ બન્ને મહા પ્રતિભાસંપન્ન કવીશો સમર્થ પરીક્ષાપ્રધાની હોઈ, તેઓએ મત-દર્શનના આગ્રહ વિના અત્યંત મધ્યસ્થતાથી, પ્રામાણિક ન્યાયમૂર્તિની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને, યુક્તિની કસોટીએ ચઢાવી છે તે દર્શનોના શાસ્ત્રતત્ત્વની નિષ્પક્ષપણે વિચક્ષણ પરીક્ષા કરી છે; અને શુદ્ધ સુવર્ણની જેમ