________________
પ્રશાવબોધ મોક્ષમાળા
કષ- છેદ-તાપની* અગ્નિપરીક્ષામાંથી સમુત્તીર્ણ થનારા શાસ્ત્રસુવર્ણનું પ્રમાણભૂતપણું સુપ્રતિષ્ઠાપિત કર્યું છે. દાર્શનિક મીમાંસા કરતી દિવાકરજીની બત્રીશીઓ અને સમતભદ્રજીની બૃહસ્વયંભૂસ્તોત્ર-આપ્તમીમાંસા આદિ કૃતિઓ આ વસ્તુની સાક્ષી પૂરે છે.
એટલે આવા આ પરીક્ષાપ્રધાની અસાધારણ બુદ્ધિપ્રતિભાના ચમત્કારો સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય એમાં આશ્ચર્ય નથી. દા. ત. સન્મતિતર્કમાં કેવળજ્ઞાન-કેવલદર્શનની અભેદ એકતા વિષયમાં મહર્ષિ દિવાકરજીએ ઉપસ્થિત કરેલી નવીન ને મૌલિક ચર્ચા તે મહામતિની સૂક્ષ્મ તર્કશક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે. તેમજ-“પુરાતનોએ જે વ્યવસ્થિતિ નિયત કરી છે, તે તેમજ છે, એમાં ચિંતન કર્યાથી શું સિદ્ધ થવાનું હતું? એવા પ્રકારે મૃતજનોના રૂઢ ગૌરવ થકી ‘તહત્તિ'-તેમજ છે એમ કહેવાને હું જન્મેલો નથી, એવું મારા પ્રતિપક્ષીઓ ભલે જગતમાં જાહેર કરો!”—એમ જૂનું એટલું સોનું માનનારા પુરાતનવાદને સિદ્ધસેન દિવાકરજીએ કરેલો નીડર પડકાર તેમનું અપૂર્વ પરીક્ષાપ્રધાનીપણું દાખવે છે.
અને બુદ્ધિનિધાન શ્રી સમંતભદ્રાચાર્યજીએ પણ અદ્ભુત બુદ્ધિવૈભવ દાખવનારૂં તેવું જ ઉત્તમ પરીક્ષાપ્રધાનપણે દાખવ્યું છે. તેની પ્રતીતિ આપણને આપ્તમીમાંસાના તેમના મંગલાચરણ પરથી જ થાય છે. ત્યાં ગુફામાંથી બહાર નીકળતો સિંહ ત્રાડ પાડે તેમ તેમણે સિંહગર્જના કરી છે કે- હે ભગવન્! દેવતાઓનું આગમન, આકાશગમન, ચામર આદિ વિભૂતિઓ તને છે, તેથી કાંઈ તું અમારા મનને મહાન નથી. કારણકે તેવી વિભૂતિઓ તો માયાવી ઇંદ્રજાલીઆ પણ કરી દેખાડે. એટલે તે જ તારૂં મહત્વ અમે માનતા નથી. તારું ખરું મહત્વ તો તારું વીતરાગપણું છે અને એ જ તારૂં આપણું છે.
સુવર્ણની જેમ શાસની કપ-છેદતાપ પરીક્ષા આ પ્રકારે : (૧) કોઈ એક શાસના વિધિનિષેધ એક અધિકારવાળા (એક મોલતત્વ ગોચર) છે કે નહિ તેની પરીક્ષા તે કય પરીક્ષા, (૨) એમાં જે વિધિનિષેધ બતાવ્યા છે, તેનો યોગોમ કરે એવી ક્રિયા એની અંદર કહી છે કે કેમ? આ છેદ પરીક્ષા. (૩) અગ્નિતાપથી સોનું ગાળવામાં આવે, તો તેની અશુદ્ધિની ખબર પડે, તેમ સર્વ નયનું અવલંબન કરતા વિચારરૂપ પ્રબલ અગ્નિવડે શાસની વાવણી કરવી, જેથી તેમાં તાત્પર્યની અશુદ્ધિ કે મેલાશ છે કે નહિ તેની ચકાસણી થાય.-આ તાપ પરીક્ષા.