________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
અમૃત એ પાંચ અનુષ્ઠાને પ્રકારનું સ્વરૂપ સમજી, મુમુક્ષુએ સત્ અનુષ્ઠાન જ સેવવા યોગ્ય છે. આ લોક સંબંધી ધન-કીર્તિપૂજાસત્કાર આદિ ફલકામનાથી જે કરવામાં આવે તે વિષ અનુષ્ઠાન છે; કારણકે સત્ ચિત્તને મારી નાખતું હોવાથી અને તુચ્છ સ્પૃહા વડે કરીને મહતું એવા સત્ અનુષ્ઠાનની આશાતનારૂપ થતું હોવાથી, તે આત્માને વિષરૂપે પરિણમી ખરેખરૂં વિષઅનુષ્ઠાન થઈ પડે છે. પરલોક સંબંધી ફલકામનાથી કરવામાં આવતું અનુષ્ઠાન પણ તે જ કારણથી આત્માને ગરરૂપે (Slow poison) પરિણમી, કાલાંતરે હણી ગર અનુષ્ઠાન થઈ પડે છે. સંપૂર્ઝનજ કિયા જેમ તત્ત્વસમજણ વગર કરવામાં આવતું અનુષ્ઠાન કર્યું ન કર્યા બરાબર હોઈ અનનુષ્ઠાન થઈ પડે છે. સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી–બહુમાનથી કરવામાં આવતું અનુષ્ઠાન, શુભ ભાવના અંશને લીધે સદનુષ્ઠાનનો હેતુ-તળેતુ થઈ પડે છે. આ જિન ભગવાને કહ્યું છે એમ જાણી, ભાવસારપણે સંવેગરંગથી કરવામાં આવતું અનુષ્ઠાન, આત્માને અમૃતરૂપે પરિણમતું હોવાથી અમૃત અનુષ્ઠાન થઈ પડે છે. માટે આમાં વિષ અને ગર એ બન્ને પ્રકારના વિકિયારૂપ અનુષ્ઠાનને હાલાહલ વિષ જેવા આત્મઘાતક જાણી દૂરથી ત્યજી દઈ, ત્રીજા અનનુષ્ઠાનને કર્યું ન કર્યા બરાબર એવું અક્રિયારૂપ જાણી, આત્માથી મમકૃએ તો આત્માને અમૃતરૂપે પરિણમતું એવું સક્રિયારૂપ અમૃત અનુષ્ઠાન કે તેના હેતુરૂપ તળેતુ અનુષ્ઠાન એકાંત શુદ્ધ આત્માર્થે જ આદરવા યોગ્ય છે.
કારણકે સાધ્ય એવા શુદ્ધ આત્મસ્વરૂપનો નિરંતર લક્ષ્ય રાખી શુદ્ધ આત્મસાધન સેવે તો શુદ્ધ આત્મસિદ્ધિ થાય. લક્ષ્ય નિશાન બરાબર તાકી, બાણ સાધે તો લક્ષ્ય વિંધાય. તે એક નિશાનથી આડુંઅવળું-વાંકુંચૂંકું, ઉપર નીચે બાણ જાય તો નિશાન વિંધાય નહિ, ચૂકી જઈ વંચક થાય, અફળ જાય, અથવા આડાઅવળા અલક્ષ્ય વિંધવારૂપ અનેક ફળ થાય; તેમ પરમાર્થમાં પણ એક સ્વરૂપલક્ષ્યના અનુસંધાનવાળી જે યોગ-કિયા એક મોક્ષ ફળ પ્રત્યે લઈ જાય, તે જ અવંચક-નહિ ચૂકનારી હોવાથી સફળ છે. બાકી તે એક લક્ષ્યને ચૂકીને કરવામાં આવતી યોગ-ક્રિયા એક મોક્ષરૂપ સફળથી ચૂકાવનાર-વંચક