________________
કિયા
લોકને પ્રકાશતી અંતરે ઉલાસતી, જાગતી જ્યોત જગાવીએ; જ્ઞાનને ઉપાસતાં જ્ઞાનમય રૂપને, ભગવાન કહે પ્રગટાવીએ... ચાલો ! ૦૭
शिक्षापाठ २८ : क्रिया જ્ઞાનથી જેવું આત્મસ્વરૂપ જાણ્યું, તેવું આચરણમાં-વર્તનમાં મૂકવાની પ્રક્રિયા તે ક્રિયા. આ જ્ઞાન-ક્રિયાના સમન્વયથી જ મોક્ષ છે. જ્ઞાનક્રિયાખ્યા મોક્ષઃ | ‘જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન-ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું તે જ નિર્જરાનો સુંદર માર્ગ છે.' જ્ઞાન અને ક્રિયા એ બન્ને એક રથના બે ચક્ર જેવા છે. જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે ને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. દાવાનલ લાગ્યો હોય ત્યાં આંધળો ને પાંગળો સહકાર સાધે તો બન્ને બચી જાય. તેમ ભવ-દાવાનલથી બચવા માટે સાધકે જ્ઞાન અને તદનુસારી ક્રિયા એ બન્નેનો યથાયોગ્ય સમન્વય સાધવો જોઈએ. અત્રે “પઢમં ના તો રયા''} જ્ઞાનનું સ્થાન પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂક્યું, તે એમ સૂચવે છે કે ક્રિયા જ્ઞાનને અનુકૂળ–અનુસરતી તાત્ત્વિક સમજણવાળી હોવી જોઈએ. એટલા માટે જ ક્રિયાનું “અનુષ્ઠાન” એવું નામ પ્રસિદ્ધ છે. અર્થાત દેહાદિ પરવસ્તુથી આત્મા ભિન્ન છે એવું જે જ્ઞાન થયું, તેને અનુરૂપપણે-છાજે એમ રાગાદિનો ત્યાગ કરી શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્તવું તે અનુષ્ઠાન છે. એટલે કર્મ આશ્રવનો નિરોધ થઈ સંવર- નિર્જરા થાય, એમ સર્વ આત્મસાધનનું સેવન કરવું, એ જ આવશ્યકાદિ સર્વ અનુષ્ઠાનનું અને અષ્ટાંગ યોગાદિ સર્વ ક્રિયાનું એક માત્ર પ્રયોજન છે. અને તે અર્થેજ ‘શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્વતની સર્વ ક્રિયા જ્ઞાનીને સંમત છે.”
પણ એક જ અનુષ્ઠાન -ક્રિયામાં કર્તાના ભાવભેદ-આશયભેદ પ્રમાણે ફલભેદ હોય છે. માટે વિષ, ગર, અનુષ્ઠાન, તદ્ધતુ અને