SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શાન-ભાગ ૧ ૬૫ (દોહરા) તપ કોડો વર્ષો કરે, તોય ન છૂટે બાલ; ક્ષણમાં કર્મો ક્ષીણ કરી, જ્ઞાની છૂટે તત્કાલ. તપથી કમ નિર્જર, તપથી નિર્મલ થાય; તપથી સ્વરૂપે પ્રતપતો, આત્મા ઝળહળ થાય. शिक्षापाठ २६ : ज्ञान} भाग १ જિન ભગવાનને મુખ્યપણે જ્યાં આત્મજ્ઞાન છે તેને જ જ્ઞાન કહ્યું છે. કારણકે ‘સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.” નવ પર્વ સુધી ભણ્યો હોય, પણ જો જીવને ન જાણ્યો તો તે સવન અજ્ઞાન કહ્યું છે. આ જીવ ને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહિ,’ તો ‘પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યા નહિ,'-આવો કેવળ નિર્મળ ઉપદેશ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યો છે. ગ્રંથનું જ્ઞાન તે જ્ઞાન નથી, કવિચાતુર્ય તે જ્ઞાન નથી, મંત્ર તંત્રો તે જ્ઞાન નથી, ભાષા તે જ્ઞાન નથી, તેમજ તેવા તેવા અન્ય પ્રકારો પણ જ્ઞાન નથી. પણ જ્ઞાન તો જેને સંવેદનથી આત્મપરિણામી થયું છે એવા જ્ઞાનીમાં જ સાક્ષાત મૂર્તિમાન છે. બાકી સત્-છતું એવું જ્ઞાનસ્વરૂપ પ્રગટ પ્રાપ્ત કર્યા વિના પોતાની કલ્પનાથી કોટિ શાસ્ત્રોનું સર્જન પણ “માત્ર મનનો આમળો' જ છે, પણ જ્ઞાન નથી. એક પણ વ્રત-પચ્ચખાણ નહોતું, છતાં શ્રી શ્રેણિક મહારાજ આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર થશે, તેનું કારણ એક તેમનું નિશ્ચય આત્મસંવેદનરૂપ આત્મજ્ઞાન જ. - આ ઉપરથી પરમ પરમાર્થભૂત તાત્પર્ય એ નીકળે છે કે બોધબીજભૂત, મૂળભૂત આત્માનુભૂતિવાળું જધન્ય જ્ઞાન પણ હોય, તો ત્યાં વેદસંવેદ્યપદ અર્થાત્ આત્મજ્ઞાન છે. પણ તે આત્મસંવેદનરૂપ બીજભૂત જ્ઞાન વિનાનું બીજું બધુંય ગમે તેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન હોય તો ત્યાં વેદસંવેદ્ય પદ- નિશ્ચય આત્મજ્ઞાન નથી. એટલા માટે જ
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy