________________
પ્રશાવબોધ મોક્ષમાળા
કરવાનો શ્રેષ્ઠ ને સુગમ ઉપાય છે. (દોહરા) ભ્રમણારૂપ ભ્રાંતિ ટળે, ટળે ભ્રમણરૂપ ભ્રાંત;
સ્વરૂપમાં વિશ્રાંત થઈ, આત્મા હોય પ્રશાંત.
शिक्षापाठ २५ : तप - મનોભ્રાંતિ ટાળી મનોનિગ્રહ અને ઇંદ્રિયવિજય કરવા માટે મુખ્ય ઉપાય ઈચ્છાનિરોધરૂપ તપ છે. કર્મની નિર્જરાર્થે જે તપવામાં આવે તે ત૫; અથવા જેના વડે કરીને આત્મા સ્વરૂપમાં પ્રતાપે, નિજ
સ્વરૂપ તેજે ઝળહળે તે તપ. એ તપનો મુખ્ય ઉદેશ નિરંતર લક્ષમાં રાખી મુમુક્ષુએ આત્માર્થે જ યથાશક્તિ તપ તપવા યોગ્ય છે. કારણકે તપ એ જીવને કર્મમુક્ત કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, તપ એ કર્મબન્ધનને ભસ્મ કરનારો પ્રચંડ અગ્નિ છે. આમ આદિ ફળ જેમ તાપથી જલદી પાકે છે, તેમ કર્મ પણ તપ અગ્નિના તાપથી શીઘ પાકીને નિર્ભર છે. અગ્નિતાપથી સુવર્ણની જેમ, જ્ઞાનપૂર્વક તપથી આત્માનો અંદરનો મેલ ગળતો જઈ આત્મા શુદ્ધ બને છે. દેવેન્દ્રોથી વંદિત એવા શ્રી તીર્થંકર ભગવાન કે જે ચાર જ્ઞાનના સ્વામી હતા અને અવશ્ય સિદ્ધિ પામવાના હતા, તે પણ બલ-વીર્ય ગોપવ્યા વિના તપને વિશે ઉદ્યમવંત હતા. તો પછી અન્ય મુમુક્ષુઓએ તો તપમાં વિશેષ કરીને ઉદ્યમ કરવા યોગ્ય હોય એમાં પૂછવું જ શું? આ તપના મુખ્ય બાર ભેદ છે-અનશનાદિ છ બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ છ આત્યંતર.
- અનશન-ચાર પ્રકારનો આહાર જેમાં એક, બે કે વધારે દિવસ માટે ત્યાગ કરાય છે તે અનશન. ઉણોદરી-પેટ ભરાય તે કરતાં થોડા કોળીઆ ઊણું રહેવું તે. રસત્યાગ-વૃત આદિ વિકૃતિ કરનારા રસવાળા પદાર્થોનો ત્યાગ. વૃતિ સંક્ષેપ-અમુક આટલી જ સંખ્યાવાળી વસ્તુ હું લઈશ એમ વૃતિનો સંક્ષેપ કરવો તે. કાયક્લેશ-કાયાને કષ્ટ આપી કસવી તે. સંલીનતા-કૂર્મની જેમ અંગોપાંગ સંલીન કરીને, સંકોચીને સૂવું