________________
પલાવબોધ મોક્ષમાળા
આવા સર્વલબ્ધિસિદ્ધિસંપન્ન આ સર્વજ્ઞ વીતરાગ દેવ પ્રારબ્ધોદય પ્રમાણે સદેશનાદાન વડે પરમ પરોપકાર કરતા સતા, દેહ છતાં દેહાતીત એવી કાયોત્સર્ગ-જીવનમુક્ત દશાએ વિચરે છે. નિષ્કારણ કરુણારસસાગર એવા આ પરમ કૃપાળુ દેવ પરમાર્થમઘની વૃષ્ટિ કરી, સંસારતાપથી સંતપ્ત જગજંતુઓને પરમ આત્મશાંતિરૂપ શીતલતા આપે છે. “ભવદુ:ખવારણ દિવસુખકારણ” એવો શુદ્ધ ધર્મ પ્રરૂપી, આ ભગવાન ધર્મમૂર્તિ વિશ્વબંધુ દુષ્ટ અસાધુજનોને દુષ્ટ માર્ગ છોડાવી, ને શિષ્ટ સાધુજનોને ઈષ્ટ પરમાર્થ માર્ગે ચઢાવી, સર્વ જગત જંતુનું પરમાર્થ હિત કરવારૂપ પરમ લોકાનુગ્રહ આચરે છે. અને પછી આ વિશ્વવત્સલ પરમાત્મા યોગના અંતરૂપ અયોગી એવી શૈલેશી અવસ્થાને પામી, શીધ્ર જ ભવવ્યાધિનો ક્ષય કરી પરમ નિર્વાણરૂપ સર્વોત્કૃષ્ટ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. (દોહરા) શુદ્ધિ સર્વોત્કૃષ્ટ ત્યાં, સિદ્ધિ સર્વોત્કૃષ્ટ;
પરોપકાર કરી પરમ, પામે પદ પ્રકૃષ્ટ.
शिक्षापाठ २३ : अनेकान्तनी प्रमाणता
સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પામેલા શ્રી સર્વેશ પ્રત્યેક વસ્તુને અનેકાન્ત, અનેક સંતવાળી–ગુણધર્મવાળી દીઠી છે, એટલે અનેકાન્ત એ જ વસ્તુનું સ્વરૂપ છે; અને તેનું સમગ્રપણે સર્વદલીય ગ્રહણ કરે એવું અનેકાન્ત જ્ઞાન જ પ્રમાણ છે. તત્વ-અતુ, સંતુ-અસતુ, એક-અનેક, ભેદ-અભેદ, નિત્ય-અનિત્ય એમ એક વસ્તુના પરસ્પર બે વિરુદ્ધ ધર્મનું સાપેક્ષપણે પ્રકાશન કરે તે અનેકાન્ત. આ. અનેકાન્ત તો “પરમાગમનો જીવ”-પ્રાણ છે; અને જન્માંધ પુરુષો હાથીના સ્વરૂપ વિષેનો ઝગડો કરે છે, તેની જેવા તત્ત્વસ્વરૂપ વિષેના સર્વ દર્શનોના ઝગડાને મિટાવનારો એવો સર્વગ્રાહી પરમ ઉદાર છે. તત્વના જીવનરૂપ આ અનેકાન્તના આવા પરમ અદ્ભુત ચમત્કારિક સર્વસમાધાનકારી સ્વરૂપથી મુગ્ધ થઈને પરમ તત્ત્વજ્ઞોએ ઉદારઘોષા