________________
૫૨
પ્રશાવબોધ મોક્ષમાળા
પ્રવૃત્તિ ચાલે છે, એવા નિરિચ્છ સમદષ્ટિ યોગીપુરુષની સમસ્ત સંસારચેષ્ટા ભાવ પ્રતિબંધ વિનાની, અનાસક્ત ભાવવાળી હોય છે. એટલે સ્નેહરૂપ-આસકિતરૂપ ચીકાશના અભાવે તે કોરાધાકોડ’ જ્ઞાનીને કર્મજિ વળગતી નથી. જ્ઞાની ભોગવતાં છતાં બંધાતા નથી ને અજ્ઞાની નહિ ભોગવતાં છતાં બંધાય છે! એ વિલક્ષણ વાત જ્ઞાનીના અપૂર્વ જ્ઞાનનું કે અનન્ય વૈરાગ્યનું અદ્ભુત સામર્થ્ય સૂચવે છે.
પતિવ્રતા સ્ત્રીનું મન જેમ ઘર સંબંધી બીજા બધાં કામ કરતાં છતાં સદા પ્રિયતમ એવા ભર્તારને વિષે લગ્ન હોય છે, ગાય વનમાં જઈ ચારો ચરે ને ચારે દિશામાં ફરે છે, પણ તેની દષ્ટિ તો સદાય પોતાના વ્હાલા વત્સમાં જ ચટેલી હોય છે, તેમ જ્ઞાની પુરુષનું ચિત્ત પણ સંસાર સંબંધી બીજાં કાર્ય કરતાં છતાં સદાય કૃતધર્મમાં જ લીન હોય છે. આમ શ્રતધર્મ અર્થાત્ સત્પરુષ સમીપે શ્રવણ કરેલો આત્મધર્મ જેના ચિત્તને નિત્ય આક્ષેપે છે, લોહચુંબકની જેમ આકર્થી પોતા ભણી ખેંચી રાખે છે, તે જ્ઞાનાક્ષેપકવંત સમર્થ યોગીને ભોગો પણ ભવહેતુ થતા નથી. મોહમયી માયા મધ્યે પણ સદા અમોહસ્વરૂપી એવા દુષ્કરદુષ્કરકારી જ્ઞાની તો ભોગપંક મળે પણ જલમાં કમલની જેમ લપાતા નથી, ખરડાતા નથી, એનું ઉત્તમ દષ્ટાંત શ્રી તીર્થકર ભગવાન છે. તેઓ ગૃહસ્થાવસ્થામાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યથી વાસિત હતા, ભોગપંક મળે પણ જલકમલવત અલિપ્ત હતા. બીજા સામાન્ય પ્રાકૃતજનોને જે ભોગ બંધનું કારણ થાય, તે આવા અપવાદરૂપ જ્ઞાની પુરુષવિશેષોને નિર્જરાનું કારણ થાય છે! “ને માસવા સે પરિસંવા''} હોત આસવા પરિસરા' તે આનું નામ! પણ અનાસકત યોગના નામે તેનું આંધળું અનુકરણ કરવા જતાં બીજા મોહમૂઢ પ્રાકૃતજનો તો ખરા જ ખાય! કારણકે “રાગ ભરે જન મન રહો, પણ તિહું કાળ વૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રનો, કોઈ ન પામે હો તાગ,”—એવી પરમ વિરક્ત જ્ઞાનદશાવાળા તીર્થકરાદિ જ્ઞાની પુરુષની વાત ન્યારી છે.
અને એવું જ ઉજ્જવલ જીવતું જાગતું જ્વલંત દષ્ટાંત વર્તમાન યુગમાં શ્રીમદ્ રાજચંદ્રજી જેવા અસંગ જ્ઞાની પુરુષના અધ્યાત્મ