________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
વિકલેન્દ્રિય, સંશી (મનવાળા) પંચેંદ્રિય અને અસંશી (મન વગરના) પંચેંદ્રિય. (૧૧) અગીયાર પ્રકારે : સૂક્ષ્મ અને બાદર એકેંદ્રિય; ત્રણ વિગ્લેંદ્રિય; જલચર, સ્થલચર અને નભશ્વર એમ ત્રણ તિર્યંચ પંચેંદ્રિય; મનુષ્ય, દેવતા અને નારક.
૩૮
(૧૨) બાર પ્રકારે : પૃથ્વીકાય; અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ જીવનિકાયના પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદ ગણતાં બાર પ્રકારે સર્વ જીવ સમજી શકાય છે. (૧૩) તેર પ્રકારે : ઉપરમાં કહ્યા તે બાર ભેદ સંવ્યવહારિક, તેમાં એક અસંવ્યવહારિકનો (સૂક્ષ્મ નિગોદનો) મેળવતાં, સર્વ જીવો તેર પ્રકારે સમજી શકાય છે. (૧૪) ચૌદ પ્રકારે : ચૌદ ગુણસ્થાનની અપેક્ષાએ. અથવા સૂક્ષ્મ, બાદર, ત્રણ વિગ્લેંદ્રિય તથા સંજ્ઞી, અસંશી એ સાતના પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ગણતાં પણ સર્વ જીવો ચૌદ પ્રકારે સમજી શકાય છે. (દોહરા) ચૌદ જીવસ્થાનો વિષે, ભમ્યો અનંતી વાર; સ્વરૂપ ભૂલીને જીવ આ, પરભાવે પ્રીતિ ધાર.
शिक्षापाठ १६ : त्रण आत्मा } भाग १
સમસ્ત વિશ્વના આત્માઓને આપ્યંતર દશાવિશેષ પ્રમાણે ત્રણ વિભાગમાં ખેંચી શકાય : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. દેહાદિને વિષે જેને આત્મસ્રાંતિ વર્તે છે તે બહિરાત્મા. દેહાદિમાં તેવી આત્મભ્રાંતિ ટળવાથી જે તેમાં સાક્ષીભૂત થઈને રહ્યો છે તે અંતરાત્મા. અને કર્મ કલંકથી રહિત એવો નિર્મળ શુદ્ધ આત્મા તે
પરમાત્મા.
બહિરાત્માને આત્મસ્વરૂપનું ભાન નહિ હોવાથી તે પોતાના દેહને જ આત્માપણે માને છે. મનુષ્યદેહમાં રહેલા આત્માને તે મનુષ્ય માને છે, તિર્યંચદેહમાં રહેલાને તિર્યંચ માને છે, દેવદેહમાં રહેલાને દેવ