________________
વ્યાવહારિક જીવોના ભેદ
૩૭
જીવ. શંખ, છીપ, કૃમિ આદિ. (A) સ્પર્શન, રસના તથા ઘોણ એમ ત્રણ ઇંદ્રિય જેને છે તે ત્રીન્દ્રિય જીવ. કીડી, માંકડ, જૂ આદિ. (IV) સ્પર્શન, રસના, ઘાણ અને ચક્ષુ એ ચાર ઇંદ્રિય જેને છે તે ચતુરિન્દ્રિય જીવ. ભ્રમર, માખી, મચ્છર, પતંગીયા આદિ. (V) સ્પર્શન, રસના, ઘાણ, ચહ્યું અને શ્રોત્ર એ પાંચ ઇંદ્રિય જેને છે તે પંચેન્દ્રિય જીવ. દેવ, નારક, મનુષ્ય, પશુ, પક્ષી, મત્સ્ય આદિ. (૬) ષડુ જીવનિકાયની અપેક્ષાએ છ પ્રકારે : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. પૃથ્વી જ જેની કાયા છે તે પૃથ્વીકાય છે. (૭) વેશ્યા અપેક્ષાએ સાત પ્રકારે : કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને શુક્લ એ છ પ્રકારની વેશ્યાવાળા, તથા અલેશી (ચૌદમા ગુણસ્થાનવાળા લેવા.)
" (૮) જન્મ પામવાના પ્રકારની અપેક્ષાએ જીવો આઠ પ્રકારના છે : 0 ઇંડામાંથી જન્મે તે અંડજ. હંસ, મયૂર આદિ. (II) પોતમાંથી જન્મે તે પોતજ. હાથી આદિ. (II) જરાયુથી (ઓળથી) વિંટાયેલ જન્મે તે જરાયુજ. મનુષ્ય, અશ્વ આદિ. (આ ત્રણે પ્રકાર ગર્ભજ જન્મના ઉપભેદરૂપ છે.) (y) રસમાં જન્મે છે તે રસજ. દહીં, દૂધ આદિમાં ઉપજતા અતિ સૂક્ષ્મ જંતુ, કૃમિ આદિ. (v) સ્વેદમાં પસીનામાં જન્મે છે તે સ્વેદજ. માંકડ, જૂ આદિ. (VI) સંમૂછનથી જન્મે છે તે સંપૂર્ઝન જ. પતંગીયા, કીડી, માંખી આદિ. (આ ત્રણે પ્રકાર સમૂઈન જન્મના ઉપભેદરૂપ છે.) ઉદ્દેદથી જન્મે તે ઉભિદજ. ગગોડા વગેરે. (VI) શય્યાદિમાં સંપૂર્ણ અંગોપાંગસહિતપણે એકદમ ઉપજે તે ઉપરાતજ. દેવ, નારક.
(૯) નવ પ્રકારે : જેને માત્ર એક જ ઇંદ્રિય છે તે પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર; જેને અનુક્રમે ત્રણ, બે અને એક ઇન્દ્રિય વિકલ (ન્યૂન, ઓછી) છે તે બે ઇંદ્રિય, તે ઇંદ્રિય અને ચઉરિન્દ્રિય એમ ત્રણ વિધેન્દ્રિય; અને જેને પાંચે સકલ ઇંદ્રિયો છે તે પંચેન્દ્રિય,-આમ ઇંદ્રિયોની ન્યૂનાધિકતાની અપેક્ષાએ સર્વ જીવો નવ પ્રકારે સમજી શકાય છે. (૧૦) દશ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ