________________
પ્રજ્ઞાવબોધ કોશમાળા
ત્યાં આજે લગ્નની ધમાલને લઈ લૂંટ ચલાવવાનો સારો લાગે છે એમ જોઈ, એક પ્રભવ નામનો મોટો ધાડપાડુ તે રાત્રીના પાંચસો ચોર સાથે જંબૂકમારના આવાસે આવ્યો. નિદ્રા પમાડનારી અને તાળા ઉઘાડનારી એમ બે વિદ્યાના પ્રભાવે પ્રભવે ઘરના સર્વ માણસોને ઉઘાડી દીધા; અને તેમના અલંકારાદિ બધી માલમત્તા લૂંટી ગાંસડા પોટલા બાંધી લીધા. પણ એક મહાભાગ્ય જંબૂકુમાર ઉપર તેની વિદ્યાનો કંઈ પ્રભાવ ચાલ્યો નહિ. જંબૂકુમાર જે જાગતા રહી ઠંડા પેટે
આ બધું દશ્ય જોયા કરતા હતા, તે મધુર વાણીથી માર્મિક વચન બોલ્યા-અહીં નિરાંતે શયન કરી રહેલા આ નિમંત્રિત જનોને તે લોકો!
સ્પર્શશો મા! સ્પર્શશો મા! તેઓનો આ હું જાગતો પહેરેગીર છું. તે મહાપુણ્ય પ્રભાવોના આ વચનથી તે ચોરો જાણે લેખમય માટીના પૂતળા હોય એમ ખંભિત થઈ ગયા!
એટલે ચમત્કાર પામેલો પ્રભાવ પણ પત્નીઓથી પરિવરેલા જંબૂકુમારને ધારી ધારીને જોઈ જ રહ્યો અને તેણે પોતાની વાર્તા નિવેદન કરી કે હું વિધ્ય રાજાનો પ્રભાવ નામે પુત્ર છું. તારી મૈત્રીથી મારા પર અનુગ્રહ કર! હે સખા! તું મને તારી સંભની અને મોક્ષણી વિદ્યા દે. તેના બદલામાં હું તને મારી અવસ્વાપનિકા અને તાલોદ્દઘાટની એ બે વિદ્યા આપું. જંબૂએ કહ્યું- હે પ્રભવ! પ્રભાતે તો હું આ આઠેય નવોઢા પ્રિયાઓને છોડી, નિર્મમ થઈ ને પ્રવજ્યા લેવાનો છું. તેથી મને આ તારી વિદ્યાનું શું પ્રયોજન છે? એટલે આશ્ચર્યથી દિંગ થઈ ગયેલા પ્રભવે ઉંધાડનારી વિદ્યા સંહરી લઈ, અંજલિ જોડી જંબૂકુમાર પ્રત્યે વિજ્ઞાખું–હે સખા! તું અભિનવ યૌવનવંતો છે. આ નવોઢાઓ પ્રત્યે અનુકંપા કર. તું વિવેકી છે, માટે ભુક્તભોગી થઈ તું પરિવજ્યા લેશે તો શોભશે. જંબૂએ જવાબ આપ્યો-વિષયસુખ તુચ્છ છે. વિષયસેવામાં કદાપિ સુખ હોય તોપણ સર્ષવ જેટલું નથી અને દુ:ખ તો મેરુ જેટલું છે, –મધુબિન્દુ આદિની પેઠે. તે આ પ્રકારે :
કોઈ એક પુરુષ ભમતાં ભમતાં એક ભયંકર અટવીમાં આવી પેઠો. ત્યાં એક મદઝરતો વનમાતંગ સૂંઢ ઉછાળતો તેની સામે દોડયો. એટલે