________________
૩૨
'પ્રવાવબોધ મોક્ષમાળા
- શ્રી સુધમસ્વિામી જંબૂસ્વામીને કહે છે-હે આયુમન મેં શ્રી સદ્ગુરુચરણ સમીપ વાસ કરતાં આ શ્રવણ કર્યું છે : વિનયસમાધિ ચાર પ્રકારે છે : (૧) અનુશાસન- શિક્ષા કરવામાં આવતા શુકૂષાશ્રવણની તીવ્ર ઇચ્છા ધારે. (૨) સમકપણે પરિવજે-પ્રતિપન્ન કરે, માન્ય કરે. (૩) આમ શ્રવણથી જે શ્રત થયું તે યુતને આરાધે અને (૪) આમ શ્રુતપ્રાપ્તિથી હું કેવો વિનીત છું એવા આત્મોકર્ષથી-ગર્વથી ગૃહીત ન થાય. આમ ચાર પ્રકારે આત્મસ્થિત એવો મોક્ષાર્થી યથાવત્ વિનયસમાધિ આચરે.
શ્રુતસમાધિ ચાર પ્રકારે છે : (૧) મને શ્રુતજ્ઞાન હોશે આ બુદ્ધિથી અધ્યયન કરવાનું હોય, નહિ કે મોહ આદિ આલંબનથી. (૨) હું એકાગ્રચિત્ત હોઈશ એટલા માટે અધ્યયન કરવાનું હોય, નહિ કે વિડુતચિત્ત (ડામાડોળ) હોઉં એ માટે. (૩) હું આત્માને સ્વરૂપને વિષે સ્થાપીશ એટલા માટે અધ્યયન કરવાનું હોય. અને (૪) આમ સ્વયં આત્મધર્મમાં સ્થિત થયેલો હું પરને આત્મધર્મમાં સ્થાપીશ, એટલા માટે અધ્યયન કરવાનું હોય. આમ હું જ્ઞાન પામી એકાગ્રચિત્ત હોઈશ અને પોતે સ્વરૂપમાં સ્થિત થઈ બીજાને સ્થાપીશ, એમ સમજી શ્રુતસમાધિમાં રત થયેલો મુમુક્ષુ પુરુષ શ્રતોનું અધ્યયન કરે.
તપસમાધિ ચાર પ્રકારે છે : (૧) ઈહલોક અર્થતાથી–આ લોક સંબંધી કામનાથી તપઅનુષ્ઠાન ન કરે. (૨) પરલોક અર્થતાથી–પરલોક સંબંધી કામનાથી તપ અનુષ્ઠાન ન કરે. (૩) કીર્તિ-વર્ણ-શબ્દ-શ્લોક અર્થતાથી તપ અનુષ્ઠાન ન કરે. (૪) નિર્જરાર્થતા સિવાય બીજા કોઈ અર્થે તપનુષ્ઠાન ન કરે. આમ વિવિધ ગુણવાળા તપમાં રત, સર્વ પ્રકારની આશાથી રહિત એવો નિરાશ અને નિર્જરાર્થિક સદા તપ સમાધિયુક્ત પુરુષ પુરાણ પાપને તપથી ધૂણી નાંખે, ખંખેરી નાંખે.
આચારસમાધિ ચાર પ્રકારે છે : (૧) ઈહલોક અર્થતાથી આચાર (જ્ઞાનાચાર આદિ પંચ) ન આચરે (૨) પરલોક અર્થતાથી આચાર ન આચરે. (૩) કીર્તિ-વર્ણ-શબ્દ-શ્લોકઅર્થતાથી આચાર ન આચરે. (૪) અહ-જિનપદ પામવારૂપ આહંત હેતુ સિવાય અન્ય