________________
ચાર સુખશયા
शिक्षापाठ १३ : चार सुखशय्या સુખશધ્યા એટલે જ્યાં સુખેથી, આરામથી, લહેરથી શયન કરી શકાય એવી સુખદ સ્થિર થયા. ડગમગતા પાયાવાળી, ભાંગીતૂટી કે ઉપધાન (ઓશીકા) ને તળાઈ વગરની ખૂંચે એવી ખાટલી તે સુખશવ્યા ન કહેવાય; પણ સ્થિર પાયાવાળી, કોમળ ઓશિકા ને સુંદર તળાઈવાળી અખંડ પર્યમિકા હોય તે જ સુખશપ્યા કહેવાય. તેમ પરમાર્થમાં, અધ્યાત્મ પરિભાષામાં પણ પરભાવની જે શવ્યા તે અસ્થિર, ડગમગતી, સૂતાં ખૂંચે એવી દુ:ખદાયક છે, માટે તે સુખશવ્યા નહિ, પણ દુ:ખશપ્યા છે. સાચી સુખશયા તો એક નિજ સહજ આત્મસ્વરૂપ પદ છે. કારણકે તે જ અત્યંત સ્થિર ને શયન કરતાં સુખદાયક પરમ આનંદ ઉપજાવનારું છે. માટે તે જ પારમાર્થિક સુખથયા છે. જેમ જેમ તેવી ભાવસુખશયામાં જીવ શયન કરે છે, જેમ જેમ પરભાવ- વિભાવથી વિરામ પામી જીવ આત્મારામી બને છે, તેમ તેમ તેને પરમ આત્મસુખની-પરમાનંદની ઓર ને ઓર લહરીઓ છૂટે છે.
આત્માને આ પરમ સમાધિમય સહાત્મસ્વરૂપ પદની સુખશયામાં શયન કરાવવા માટે વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ ને આચારસમાધિ એ ચાર સુખશયા ઉપકારી છે-કે જેથી આત્મા ચેતનમય સ્વભાવમાં શયન કરી પોતાના પુરુષ' નામને સાર્થક કરે છે. કારણકે પુરૂએટલે ચેતન, અને તેમાં ‘શેતે’ એટલે શયન કરે તેનું નામ પુરુષ. આ વિનયસમાધિ આદિ પ્રત્યેક સુખશવ્યાના ચાર ચાર ભેદરૂપ ચાર ચાર પાયા છે; અને તેમાં જ્ઞાન-દર્શન- ચારિત્ર એ આત્મભાવના અવટંભરૂપ સુંદર સુકોમળ ઉપધાન (ઓશીકાં) છે. કારણકે ઉપધાન = ઉપ + ધાન, અર્થાત્ જ્યાં સમીપપણાથી આત્મા આત્મભાવને વિષે વ્યવસ્થાપિત થાય છે તે “ઉપધાન. આવા જ્ઞાનદર્શનાદિ ઉપધાનવાળી ચેતનમય સ્વભાવની સુંદર તળાઇમાં, વિનયસમાધિ આદિ ચાર સુખશયા આત્મ-પુરુષને સુખે શયન કરાવે છે. તેનું મુમુક્ષુને મનન કરવા યોગ્ય ઉત્તમ સ્વરૂપ શ્રી દશવૈકાલિક સૂત્રમાં આ પ્રકારે પ્રકાશ્ય છે.