________________
ત્રણ મનોરથ
* 66
‘છૂછ્યું. પિછલા પાપસેં, નવા ન બાંધું કોઈ; શ્રી ગુરુદેવ પ્રસાદસેં, સફળ મનોરથ હોઈ. પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર; અંત સમય આલોચના, કરૂં સંથારો સાર. તિન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન્ન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ધન્ન.”
– શ્રી લાલાજી રણજીતસિંહજી કૃત શ્રી બૃહદ્ આલોચના
**
૨૯
નિદ્રા પૂરી થતાં સવારમાં જાગૃત થઈ ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓ સર્વ લૌકિક મનોરથ તજી નિત્ય ત્રણ મનોરથ મનમાં ચિંતવે છે. સૌ પ્રથમ –
(૧) આરંભ-પરિગહના ત્યાગનો મનોરથ** :
શ્રાવક પહેલાં મનોરથનું ચિંતવન કરતાં વિચારે છે કે “હું* ભગવાન, હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડયો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારા કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું.”
આ રત્નચિંતામણી સમાન મનુષ્ય દેહ હારી ન જાઉં તે માટે આ અસાર અને ક્લેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યથી નિર્વતી અલ્પ આરંભી અને અલ્પ પરિગ્રહી થવા હું કયારે શ્રાવકના બારવ્રતોને અંગીકાર કરીશ ? ત્યાર પછી ચિંતવે છે :
સદગત્ ડો. ભગવાનદાસ મહેતાની હૈયાતી દરમ્યાન તેઓએ નિર્દેશ કર્યો હતો કે પ્રજ્ઞાવબોધ મોક્ષમાળાની દ્વિતીય આવૃત્તિના પ્રકાશન વખતે વિશેષમાં ઉપર જણાવેલા ત્રણ મનોરથ સંકલિત કરવા.
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા શિક્ષાપાઠ ૫૬