SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મહા માહણ મહાવીર ૧૭ સમાન છે, સર્વ જીવો સાધર્મિક આત્મબંધુ છે એવું વિશ્વબંધુત્વ બોધ્યું; સર્વત્ર મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યઐ એ મહા ઉદાર વિશ્વકલ્યાણકારિણી ભાવનાઓ પ્રચારી, અને આમ ત્રીસ વર્ષ પર્વત પરમાર્થ ધર્મામૃતની વર્ષા વષવી, આ મહાવીર પ્રભુ દીવાળીના દિને બહોંતેર વર્ષની વયે નિર્વાણ પધાર્યા. મંદાક્રાન્તા લોકો સર્વે ભુવનભરમાં મોહનિંદે સુતા'તા, ને અજ્ઞાને ગહન તિમિરે ગાઢ તે ઘોરતા'તા; ત્યાં તો ઊગ્યો ભરત ગગને દિવ્ય તે વીર ભાનુ, ધન્યા! ધન્યા! જનની ત્રિશલા ધન્ય સિદ્ધાર્થ માનું. ૧ તે વીરેન્દ્ર સકલ જગની ભાવ નિદ્રા ઉડાડી, તે યોગીન્દ્ર જન મનમહીં આત્મજ્યોતિ જગાડી; તે બુન્હેન્દ્ર શિવપથ તણી શુદ્ધ વિધિ બતાવી, - તે દેવેન્દ્ર ભવવન વિષે સાચી દિશા સુજાડી. ૨ ‘જીવોને મા હણ” ઈમ મહા માહણે વીર નામે, ફૂંક્યો મંત્ર ત્રય ભુવનમાં આ અહિંસા સુનામે; સૌ જંતુને જીવન પ્રિય છે, રક્ષજ સર્વ પ્રાણી! ભાખી એવી જગતગુરુ તે શ્રી વીરે વીરવાણી. ૩ મૈત્રી સર્વે ભૂત પ્રતિ અહો! સર્વ જીવો ધરાવો! દુ:ખી પ્રત્યે કરુણ ઝરણું નિત્ય સર્વે વહાવો! રાખો રાખો પ્રમુદિતપણું સર્વદા ગુણી પ્રત્યે! દાખો દાખો વિપરીત પ્રતિ ભાવ માધ્યસ્ય નિ! ૪ એવી એવી અમલ અતિશે ભાવનાઓ પ્રસારી, | મુક્તિ કેરા અમલ પથની આત્મવિદ્યા પ્રચારી; દીવાળીને દિન જગદીવો નાથ નિર્વાણ પામ્યો, જન્માબ્ધિથી તરણકરણો લોકઅગ્રે વિરામો. ૫
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy