________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
લબ્ધિસિદ્ધિ પ્રગટે તોપણ એમને લોભનો અંશ પણ સ્પર્શતો નથી. આમ સન્માર્ગની દીક્ષા પામેલા આ સંતોએ શિરોમુંડન કરવા સાથે જ કષાયોનું મુંડન કરી નાંખ્યું હોય છે; અચેલકપણું ધરવા સાથે જ સર્વ પરભાવ વિભાવથી વજિત એવું આત્મમગ્નતારૂપ ભાવનગ્નપણું દાખવ્યું હોય છે; ચાવજજીવ અસ્નાનપણું ભજવા સાથે જ નિરંતર જ્ઞાનગંગામાં નિમજ્જન કરવારૂપ પરમ શુચિ સ્નાતકપણું સેવ્યું હોય છે; અગારવાસ ત્યજવા સાથે જ વેષવિભૂષા કે શરીરની ટાપટીપરૂપ પરિકર્મ વળ્યું હોય છે.
સદા સામાયિક ભાવમાં વર્તતા આ શુદ્ધોપયોગવંત શ્રમણને શત્રુ-મિત્રમાં, માન-અપમાનમાં, જીવિત-મરણમાં કે ભવ–મોક્ષમાં સર્વત્ર શુદ્ધ સમભાવ વર્તે છે. આવા નિરંતર આત્મસમાધિમાં સ્થિત આ અવધૂત એકાકીપણે ભયાનક સ્મશાનને વિષે વિચરતા હોય, કે જ્યાં વાઘ-સિંહનો ભેટો થાય છે એવા પર્વતમાં વિચરતા હોય, તો પણ એમનું આત્મામાં સમવસ્થાનરૂપ આસન અડોલ રહે છે ને મનમાં કોઈ પણ પ્રકારનો ક્ષોભ ઉપજતો નથી. આમ તેમણે દ્રવ્ય-ભાવ સંયમમય નિગ્રંથપણું સિદ્ધ કર્યું છે, એવા આ આત્મજ્ઞાની સમ્યગુદષ્ટિ વીતરાગ મુનીશ્વર, દેહ છતાં દેહાતીત જીવન્મુક્ત દશાએ, આ અવનિતલને પાવન કરતા વિચરે છે. (અનુષ્ટ્રપ) રાગદ્વેષ તણી ગાઢ, ગ્રંથિ દુર્ભેદ્ય ભેદીને,
છેદે જે ભવની ગ્રંથિ, તે નિગ્રંથ કહ્યો જિને.
शिक्षापाठ ५ : दयानी परम धर्मता
આ નિગ્રંથ ભગવંતોનો ધર્મ પરમ દયામય છે. સંત કબીરજીનું સુભાષિત છે કે “જિસકે હિરેદે હવે ભૂત દયા, વાને તીરથ ઓર કિયો ન કિયો.” અર્થાત્ જેના હૃદયમાં પ્રાણીદયા છે, તેણે બીજાં તીર્થ કર્યો કે ન કર્યા તે સરખું છે. કારણ કે સર્વ ધર્મમાં પ્રધાન એવા તારનારા દયારૂપ