SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્પ શિથિલપણાથી મહાદોષના જન્મ शिक्षापाठ ९४ : अल्प शिथिलपणाथी महादोषना जन्म ૨૫૫ અહિંસાદિ બાબત સ્વચ્છંદજન્ય અલ્પ પણ શિથિલપણાથી મહાદોષના જન્મ થાય છે. ઉપયોગરૂપ વિવેક ચૂકતાં આત્માનો શતમુખ વિનિપાત થતાં વાર લાગતી નથી. विवेक भ्रष्टानां भवति विनिपातः શતમુર્હો: ।'' એટલા માટે જ જ્ઞાનીપુરુષોએ ‘સિદ્ધાંતનો બાંધો’ એવો સખ્ત બાંધ્યો છે ને આચારની પ્રરૂપણા એવી કડક રાખી છે, કે ગમે તેવો સ્વચ્છંદી જીવ પણ તેમાં છીંડું પાડવા ધારે તોપણ પાડી શકે નહિ, મજબૂત વજ્રમય કિલ્લામાં ભંગાણ પડી શકે નહિ, તેમ જ્ઞાનીઓએ ઉપયોગમય વજબંધવાળો સિદ્ધાંતનો ગઢ એવો દૃઢ બાંધ્યો છે કે તેની કાંકરી પણ ખસી શકે નહિ. આવું દૃઢ બંધારણ રાખવાનું કારણ એટલું જ છે કે જીવનો સ્વભાવ મૂળે પ્રમાદી છે, એટલે લેશ પણ છૂટ કે છટકબારી રાખી હશે, તો તે ઉપયોગથી ચૂકી તેમાં મોટું છીંડું પાડશે, તે તેમાંથી મહામોહની સેના ધસી આવી આત્માના ચૈતન્યપુરમાં મોટું ધમસાણ મચાવશે. એમ વિચારી વિચક્ષણ જ્ઞાનીઓએ સંકુચિત નહિ, પણ જીવનો અંતર્મુખ ઉપયોગ રહે એવી વિશાળ ‘રહસ્યદષ્ટિ થી જ અહિંસાદિનું સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે. 44 કારણકે ‘સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે.' પણ સંયમસાધન દેહાદિ જ્યાં લગી છે, ત્યાંલગી ઉપયોગના બાહર્મુખ થવાના નિમિત્તરૂપ મન-વચન-કાયના યોગની કંઈ ને કંઈ પ્રવૃત્તિ રહેવાની જ. ત્યારે તે પ્રવૃત્તિ કરતાં પણ ઉપયોગ અંતર્મુખ વર્ત્ય કરે એવા પ્રકારની ‘અદ્ભુત સંક્લના' થી તે તે પ્રવૃત્તિ સમ્યક્ષણે કરવાની આજ્ઞા કરી છે,- કે જે ‘પંચ સમિતિ’. ને નામે પ્રખ્યાત છે. આમ સૂતાં-બેસતાં, ઊઠતાં-જાગતાં સર્વત્ર સતત જાગ્રત ઉપયોગ રહે એવી ‘અપ્રમત્ત સંયમ દષ્ટિ' ન ભૂલાય તે હેતુએ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિગતવાળી સંયમક્રિયા ઉપદેશી છે,- કે જેથી જીવને અલ્પ પણ શિથિલપણાનો અવકાશ કે બ્હાનું ન રહે. જેમકે
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy