________________
૨૫૪
પ્રશાવબોધ મોક્ષમાળા
જુલ્મગારોની જમાતો ભીષણ યુદ્ધ માંડી નિ:શસ્ત્ર જનતા પર અગ્નિઅસ્ત્રોની પ્રચંડ વર્ષા વષવિ છે ને જગતને શોણિતસરિતામાં સ્નાન કરાવે છે, તોપણ હિંસા! તારૂં ખપ્પર કાં ભરાતું નથી? વિપરીત જ્ઞાનવાળા વિજ્ઞાનીઓએ સંહારસાધનરૂપ ભયંકર યુદ્ધસામગ્રી સર્જી, મર્કટને જાણે મદિરા પાઈ વા વાંદરાને નિસરણી બતાવી, હારો ઉત્કર્ષ કર્યો, તોપણ તે હિંસા! તારૂં ખપ્પર કાં ભરાતું નથી? વૈજ્ઞાનિક પ્રયોગના ન્હાને મૂંગા જીવોનો અંનત સંહાર કરી લ્હારા ચરણને ચૂંબનારા જગતે માનવતાનું દીવાળું કાઢયું, તોપણ તે હિંસા! હારૂં ખપ્પર હજુ કાં ભરાતું નથી?
આમ આ જ વિદ્યુત જેવા ચંચલ ક્ષણિક જીવિતના વંદનાદિ અર્થે, દુઃખનિવારણ અર્થે અને સુખસંપાદન અર્થે જગજીવો સ્વચ્છેદ વર્તી અનેક હિંસામય આરંભ-સમારંભ કરે છે, તેથી ખેદ પામેલા કરુણાસિબ્ધ જ્ઞાનીઓ પોકારી ગયા છે કે તે તેને અહિતાર્થે હોય છે, તે તેને અબોધિ અર્થે હોય છે, “પણ તુ થે, પણ તુ મોદે, તું મારે, પસ નું નિરણ ' (શ્રી આચારાંગ) આ હિંસા સમારંભ છે તે કર્મગ્રંથના હેતુપણાથી ખરેખર ગ્રંથ છે, મોહના હેતુપણાથી ખરેખર મોહ છે, ભાવભરણના હેતુપણાથી ખરેખર માર છે, અને નરકના હેતુપણાથી ખરેખર નરક છે.
હિંસા રાક્ષસી! આ જગતનો કેડો હવે તો મૂક; નહિ તો વીર કો ઉભો થશે તો, હણશે તને અચૂક
હિંસા હારૂં! ખપ્પર કાં ન ભરાય? (૨)