________________
૨૫ ૨.
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
રસને છાંડી, શુચિ પરમ નિત્ય અનુપમ એવા આત્માનંદમય સરસ રસના આસ્વાદનો અભ્યાસ કરવો એ જ આત્માથીન શ્રેયસ્કર છે.
પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મિત્ત!” માટે લોલુપતા રાખવી હોય તો આત્માનુભવરસની રાખવી; રસાસ્વાદ લેવો હોય તો પ્રભુગુણનો રસાસ્વાદ લેવો; રસનાને સફળ કરવી હોય તો પ્રભુભક્તિ ગાઈને સફળ કરવી. “ભલું થયું મેં પ્રભુગુણ ગાયા, રસનાનો ફળ લીધો રે.” (ઉપજાતિ) વિભાવની વિરસતા ત્યજીને,
સ્વભાવની સુરસતા ભજીને; અધ્યાત્મનો જે રસસ્વાદ આખે, કદન્ન ભોગે રસ કેમ રાખે?
शिक्षापाठ ९३ : अहिंसा अने स्वच्छंदता
અહિંસા પરત્વે સ્વચ્છેદે વર્તતા આ જગતમાં રસાસ્વાદ આદિ ખાતર કેટલી બધી હિંસા પ્રવર્તી રહી છે? પંચ વિષયના ઉપભોગની સામગ્રી માટે, રેશમી વગેરે મુલાયમ વસ્ત્રો માટે, પીંછાવાળી રૂંછાવાળી ટોપીઓ માટે, ફેલ્ટ હેટ, હર કોટ વગેરે માટે કેટલા બધા જીવોનો ઘાતકી સંહાર આ સુધરેલા કહેવાતા જગતમાં ચાલી રહ્યો છે? વળી પોતે રોગનો ભોગ ન બને અથવા બળવાન દેદીપ્યમાન તેજસ્વી બને તેટલા ખાતર, લાખો નિર્દોષ પ્રાણીઓનો ભોગ લઈ બનાવવામાં આવતી ઔષધિઓનો આ લોક હોંસથી ઉપભોગ કરે છે! તેમજ રોગનિવારણાર્થે પ્રયોગના ન્હાને રસી આદિ માટે બિચારાં નિરપરાધી પ્રાણીઓને રીબાવી રીબાવીને મારી નાંખવાની ઘાતકી પદ્ધતિ જ્યાં નિરંકુશપણે ચાલી રહી છે, એવું આ સ્વછંદે વિચરતું હિંસાખોર જગત ભીષણ હિંસા આચરી રહ્યું છે. એટલું જ નહિ પણ અહિંસાના સૂત્રધાર કહેવાતા લોકો પણ જ્યારે મત્સ્યઉદ્યોગની અથવા વાનર આદિના સંહારની પ્રેરણા કે અનુમોદના કરતાં અચકાતા નથી, ત્યારે તો અહિંસા અંગેના સ્વચ્છંદની અવધિ થાય છે. તેમજ ધર્મના નામે ને ધર્મના