________________
એક અંતર્મુહૂર્ત
૨૩૭
નિપ્રકંપ શૈલેશી અવસ્થા વર્તે છે, એવા ચૌદમા અયોગી કેવલિ ગુણસ્થાનકને પામે છે; ને ત્યાં પાંચ હસ્વ અક્ષર (અ, ઇ, ૩, ૫, લુ) ઉચ્ચારાય એટલો કાળ સ્થિતિ કરી, આ યોગીશ્વર મોક્ષ પામે છે. આમ અનંતકાળના કર્મોનો એક સામટો ગોટો વાળી નાંખવાની આ બધી પ્રક્રિયા અંતર્મુહૂર્તમાં બની જાય છે ! એવું અપૂર્વ સામર્થ્ય આ સામર્થ્યયોગનું છે!
અને આમ અપૂર્વ પુરુષાર્થરૂપ અપૂર્વકરણવ પ્રાપ્ત કરેલા ચોથા સમદષ્ટિ ગુણસ્થાનથી માંડીને જીવ જે આત્મોપયોગની અખંડ એકધારાથી આગળ વધે, તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી, થાવત્ મોક્ષ પણ પામે,-એવું અપૂર્વ આ આત્મપુરુષાર્થનું બળ છે. આરીસા ભવનમાં વૈરાગ્યતરંગિણીમાં ઝીલતા ભરત મહારાજા, બાજીગરનો ખેલ ખેલતાં શુક્લ ધ્યાનની શ્રેણીએ ચઢેલા ઇલાયચી કુમાર, આ શ્વસુરે તો મોક્ષની બંધાવી એવી ભાવના ભાવતા ગજસુકુમાર, ગૌતમસ્વામીના ઉપદેશથી પ્રતિબોધ પામેલા પાંચસો તાપસ, અને અનંતા અંતકૃત કેવલી ભગવંતો,-એ સર્વ શુક્લ-શુદ્ધ આત્મધ્યાનની શ્રેણીએ ચઢી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામ્યા હતા, એ અત્રે જ્વલંત ઉદાહરણો છે. આ બધા મહાપ્રભાવનો મૂળ યશ કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન’ને જ ઘટે છે,-કે જે મહાયશના કૃપાટાક્ષથી ‘અનંતકાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું, તે જ્ઞાન એક સમયમાત્રમાં જાયંતર' થઈ, અંતમુહૂર્ત જેટલા અલ્પ સમયમાં મોક્ષપદ પમાડવા સમર્થ થાય છે. (દોહરા) ઉન્મત્તપણે છાંડી જ, અપ્રમત્ત જીવ થાય;
પુરુષાર્થથી કેવલ લહે, અંતર્મુહૂર્તમાંય. અપૂર્વ પુરુષાર્થે લહી, અપૂર્વ ભાવ ઉલ્લાસ; અપૂર્વકરણે શ્રેણિએ, કેવલજ્ઞાન પ્રકાશ સમગ્ગદર્શન મિત્રનો, આ સઘળો પ્રતાપ; જેના કૃપાકટાક્ષથી, ભવનો ટળે ઉતાપ.