________________
પ્રત્યક્ષ અને પરોક્ષ
૨૨૯
આત્મસાક્ષાત્કારરૂપ હોવાથી સર્વપ્રત્યક્ષ છે. આ પરોક્ષ-પ્રત્યક્ષ જ્ઞાનનું સ્વરૂપ આ પ્રકારે :
પરોક્ષ જ્ઞાન-(૧) પાંચ ઇંદ્રિય અને મનથી ઉપજતા મતિજ્ઞાનના મૂળ ચાર ભેદ છે : અવગ્રહ, ઈહા, અપાય ને ધારણા. અવગ્રહ એટલે વિષયનું કિંચિત ગ્રહણ, ઈહા એટલે તેની વિચારણા, અપાય એટલે નિશ્ચય અને ધારણા એટલે તે નિશ્ચયનું સ્મૃતિ સંસ્કારરૂપે અવધારણ. અવગ્રહના બે ભેદ છે-વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. પદાર્થ અને ઇંદ્રિયના સંન્નિકર્ષથી-નિકટ સંપર્કથી થતું જે અવ્યકત ગ્રહણ તે વ્યંજનાવગ્રહ. પદાર્થનો તેવો સંપર્ક સાધ્ય વિના સ્વસ્થાને સ્થિત રહીને જ સ્વવિષય ગ્રહતા એવા ચહ્યું અને મન અપ્રાપ્યકારી હોવાથી, તે વડે વ્યંજનાવગ્રહ હોઈ શકે નહિ. એટલે શેષ ચાર ઇંદ્રિયથી જ થતા વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર; અને વ્યક્ત ગ્રહણરૂપ અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ પ્રત્યેકના, પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનથી થતા છ છ પ્રકાર,–એમ ગણતાં મતિજ્ઞાનના ઉત્તર ભેદ અઠ્ઠાવીસ થાય છે. (૨) શ્રુતજ્ઞાન છે તે મતિપૂર્વક હોય છે અને તે શ્રુતશ્રવણથી-પરોપદેશથી ઉપજે છે. અંગપ્રવિષ્ટઅંગબાહ્ય આદિ એના ઘણા ભેદ છે. મતિજ્ઞાન વર્તમાનકાળ વિષયક ને શ્રુતજ્ઞાન ત્રિકાળવિષયક છે. મતિ-શ્રુતનો વિષય સર્વ દ્રવ્યોના અસર્વ પર્યાયામાં છે. મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન ને શ્રુતજ્ઞાનથી મતિજ્ઞાન બળવાન બને છે. ચૌદ પૂર્વ આદિ એક ને એક મૃત જાણનારાઓમાં પણ અસંખ્ય ભેદ પડે છે તેનું રહસ્ય કારણ મતિજ્ઞાનની તરતમતારૂપ ક્ષયોપશમ ભેદ છે.
પ્રત્યક્ષ જ્ઞાન-(૧) અવધિજ્ઞાન બે પ્રકારે : ભવપ્રત્યયી, તે નારક-દેવોને હોય; ક્ષયોપશમનિમિત્તક, તે મનુષ્ય-તિર્યંચને હોય. અમુક અવધિ-મર્યાદા સુધી જાણે એવા આ અવધિજ્ઞાનના છે ભેદ છે : અનાનુગામિક-અનુગામિક, હીયમાન-વર્ધમાન, અનવસ્થિતઅવસ્થિત. (૨) મન:પર્યવ જ્ઞાનના બે ભેદ છે-2 જુમતિ અને વિપુલમતિ. જુમતિ કરતાં વિપુલમતિ વિશુદ્ધતર હોય છે; ઋજુમતિ પ્રતિપાતિ પણ હોય, આવીને ચાલ્યું પાણ જાય, અને વિપુલમતિ