________________
૨ ૨ ૨
પ્રશાવબોધ મોક્ષમાળા
કરતાં દર્શનમોહનો ક્ષપક, (૬) તેના કરતાં ઉપશમશ્રેણી આરૂઢ ઉપશમક, (૭) તેના કરતાં ઉપશાંતમોહ, (૮) તેના કરતાં ક્ષપકશ્રેણી આરૂઢ કૃપક, (૯) તેના કરતાં ક્ષીણમોહ, અને (૧૦) તેના કરતાં જિન ભગવાન અસંખ્યગણી નિર્જરા કરે છે. અને તેનો કાળ તો તેથી વિપરીત છે. અર્થાત્ જેટલા કાળે જેટલું કર્મ જિન ખપાવે, તેટલું કર્મ ક્ષીણમોહ તેનાથી સંખ્યયગણા કાળે ખપાવે,-એમ પ્રતિલોમતાથી (ઉલટા કમે) થાવત્ મિશ્રાદષ્ટિ પર્યત સંખ્યયગણો કાળ સમજવો. (દોહરા) સમકિત ગુણથી માંડીને, અસંખ્ય ગુણ નિર્જરા જ;
કર્મરક્યુ જર્જર બને, ગુણશ્રેણે ચઢતાં જ.
शिक्षापाठ ८२ : आकांक्षा स्थानके केम वर्तवू? - નિર્જરા વડે કરીને પૂર્વોપાર્જિત કર્મનું દેવું પરમાણુએ પરમાણુ જેમ બને તેમ ત્વરાથી ચૂકવી દેવું એ જ એક જેની આકાંક્ષા છે, તે જ્ઞાની પુરુષ સ્વપ્ન પણ પૌદ્ગલિક પરભાવની આકાંક્ષા કેમ કરે? ધોબીને ઘેરથી ભૂલથી આવી ગયેલું પારકું વસ્ત્ર તેના મૂળ ધણીને પાછું આપી દેવું જોઈએ, એ ન્યાયે જે પરવસ્તુ પાછી આપી દેવા ઈચ્છે છે, તે જ્ઞાની પુરુષ તે પરવસ્તુની પ્રાપ્તિ કેમ ઈચ્છે? કારણકે તે ભાવિતાત્મા ભાવે છે કે-હે જીવ! આ પુદ્ગલ ભોગની કાંક્ષાથી જ તે અનંત જન્મમરણ કર્યા છે. “જન્મમરણ બહુલા કર્યા, પુદ્ગલ ભોગને કંખ રે.” માટે 'હે જીવ! ક્યા ઇચ્છતા હવે? હૈ ઇચ્છા દુ:ખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.' એટલે સર્વ ઇચ્છા-આશાને મારી નાંખી જ્ઞાની સ્વરૂપથી જીવે છે. અને અનિચ્છતાં છતાં પૂર્વ પ્રારબ્ધના યોગથી ક્વચિત ભોગપ્રવૃત્તિરૂપ આકાંક્ષા સ્થાનકે વર્તવું પડે, તો પણ જ્ઞાની તો જાગ્રત ઉપયોગ રાખી જલમાં કમલવત્ નિર્લેપ રહી, અનાસક્ત ભાવે તે ભોગકર્મ નિર્જરી નાંખે છે. જ્ઞાનીની આ ઉદાસીન ભોગપ્રવૃત્તિ પણ પૂર્વપશ્ચાતુ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુકત હોય છે. જેને જ્ઞાનદશા વર્તે છે, એવા અનાસક્ત