________________
૨ ૨૦
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
- शिक्षापाठ ८१ : निर्जराक्रम દયામૂર્તિ મહતુ પુરુષો આ ક્રમે કર્મની નિર્જરા કરી લપક શ્રેણી આશ્રી, શાશ્વત મોક્ષને પામે છે :
પ્રથમ તો યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણ પૂર્વક જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભને ખપાવે; પછી મિથ્યાત્વમોહની, મિશ્રમોહની ને સમ્યકત્વમોહની એ ત્રણને ખપાવે. આમ દર્શનમોહની સાત પ્રકૃતિ ક્ષય થયે, ક્ષાયિક સમ્યગૃષ્ટિ હોય. આ સાત પ્રકૃતિ અસંયત સમદષ્ટિથી માંડીને અપ્રમત્ત સંયત પર્યત કોઈ પણ ખપાવે. જેણે આયુષ્ય બાંધ્યું છે તે શ્રેણિક રાજા જેમ, અત્રે જ અવસ્થિત રહે છે; પણ જેણે નથી બાંધ્યું તે ચારિત્રમોહના ક્ષપણાર્થે આગળ વધે છે, અને આઠમું અપૂર્વકરણ ગુણસ્થાનક પામી ત્યાં અપૂર્વ એવા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ અને સ્થિતિબંધ કરે છે.
આ અપૂર્વકરણનો સંખ્યય ભાગ ગયે, નિદ્રા-પ્રચલાનો બંધવ્યવચ્છેદ હોય છે; પછી ચરમ સમયે પરભવિક એવી દેવગતિ આદિ નામકર્મની ત્રીસ પ્રવૃતિઓનો, તેમજ હાસ્ય, રતિ-ભય-જુગુપ્સાનો બંધવ્યવચ્છેદ હોય છે. આમ અપૂર્વ આત્મસામર્થ્યથી જ્યાં આ પ્રકૃતિઓનો નવો બંધ ટળવારૂપ બંધવ્યવચ્છેદ થાય છે, એવા આ અપૂર્વકરણમાં ક્ષપકશ્રેણી પર આરોહે છે.
પછી નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં,– સત્યાનદ્ધિત્રિક, નરક-તિર્યંચગતિ, એ બેની આનુપૂર્વી, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ સાધારણ–એ સોળ પ્રકૃતિઓનો ક્ષય હોય છે. પછી અપ્રત્યાખ્યાનાવરણ ૪, પ્રત્યાખ્યાનાવરણ ૪ એમ કષાય અષ્ટકને ખપાવે છે. પછી નપુસંકવેદ, હાસ્યાદિ ષક, પુવેદ, સ્ત્રીવેદ ખપાવે છે. પછી કુમે કરીને સંજ્વલન ક્રોધ-માન-માયાને ખપાવે છે, અને લોભને ખંડ ખંડ કરી ખપાવે છે. તેમાં બાદર ખંડોને ખપાવતો નવમા અનિવૃત્તિનાદર ગુણસ્થાને ને સૂક્ષ્મ ખંડોને ખપાવતો દશમાં