________________
સમિતિ ગુપ્તિ
૨૦૯
કૂતવિલંબિત અવનિ જે યુગમાત્ર નિરીક્ષતાં,
ગમન આગમને જીવ રક્ષતા; ત્રિજગબાંધવ સંયમ માર્ગમાં,
વિચરતા ઉપયોગથી સર્વદા. અમૃતની વરસે ઘનધાર શું?
શીકર ચંદનના હિમ શીત શું? સુમનપંક્તિ મુખાક્નથી શું ખરે?
વિભ્રમ એ મુનિના વચનો કરે. અશન દોષનિવર્જિત સર્વથા,
શરીરની સ્થિતિ અર્થ ગવેષતા; રસ ચૂસે પણ પુષ્પ ન પીડતા,
તૃણ ચરે મૂલને ન ઉખેડતા. ગ્રહણ ત્યાગ કરે મૂઢ વ્હારમાં,
શ્રમણ તો નિજ અંતર આત્મમાં; પરિહરે પરભાવ પ્રવૃત્તિઓ,
પરિગૃહે સ્વ સ્વભાવ સુવૃત્તિઓ. મલવિસર્જન આત્મતણું કરે,
સકલ કર્મલંક વો રે; અમલ માનસ શુભ્ર સરોવરે,
નિત ઝીલે મુનિ રાજહંસો ખરે! (અનુષ્ટ્રપ) ત્રિયોગ તણી સાવધ, પ્રવૃત્તિથી નિવર્તતા;
ત્રિગુપ્તિ કવચદ્વારા, સાધે છે આત્મગુપ્તતા.