________________
૨૦૮
પ્રશાવબોધ મોક્ષમાળા
મનગુપ્તિ-મનને આર્ત-રૌદ્ર ધ્યાનરૂપ અસત્ ચિંતનમાંથી નિવર્તાવી ધર્મ- ધ્યાનરૂપ સચિંતનમાં પ્રવર્તાવી તેનું ગોપનરક્ષણ કરવું તે મનોગુપ્તિ. દુષ્યયોજન કે નિપ્રયોજન સંકલ્પવિકલ્પનું રટણ ન કરતાં મનને જે નિર્વિકલ્પ કરે, તે જ નિર્વિકલ્પ ધ્યાનસમાધિનો અનુભવરસ ચાખી પૂર્ણાનંદ અનુભવે. વચનગુપ્તિસત્ય, મૃષા, સત્યામૃષા, અસત્ય અમૃષા એ પ્રમાણે વચનગુપ્તિ ચાર પ્રકારની છે. વચન-અગોચર આત્માના અનુભવરસને આસ્વાદતા ને આત્મધ્યાન ધ્યાવતા મુનિ વચનને બાધક ભાવ જાણી તેનું ગોપન કરે છે, પ્રાય: વદતા નથી; અને કવચિત્ વદે તો વચન આશ્રવને સંવરમાં પલટાવવા માટે સ્વાધ્યાય સાધે છે. કાયગુપ્તિ-ઊઠવા-બેસવા આદિમાં કાયનું ગોપન કરવું, ચંચલભાવ છોડી કાયાને સ્થિર કરવી તે કાયગુપ્તિ. તાત્પર્ય કે- સંરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવર્તતા મનને, વચનને ને કાયને યતનાવંત મુનિ નિવત્તવિ, એ જ અનુક્રમે મનોગુપ્તિ, વચનગુપ્તિ ને કાયમુખિ છે.
અને પરમાર્થથી વિચારીએ તો આત્માનું સ્વરૂપને વિષે સંવરથી સંવૃત થવું–ગુખ થવું, તે જ ગુપ્તિ. આત્માનું સ્વરૂપને વિષે વિચરવું તે ઈર્યાસમિતિ. દેહાદિથી ભિન્ન એવો હું આત્મા છું એ નિરંતર દષ્ટિ સન્મુખ રાખી, સાપેક્ષ પરમાર્થસત્ સત્ય વચન ઉચ્ચારવું તે ભાષાસમિતિ. આત્મસ્વભાવ સિવાય અન્ય વસ્તુ ન ઇચ્છવી તે એષણા સમિતિ. સ્વભાવનું આદાન-ગ્રહણ કરવું અને પરભાવવિભાવનો ત્યાગ કરવો તે આદાનનિક્ષેપ સમિતિ. અને આમ આત્માને સર્વથા શુદ્ધ સ્વભાવમાં પરિસ્થાપન કરી, શુદ્ધ આત્મસ્વભાવસ્થિત આત્મવસ્તુનો ઉત્સર્ગ કરવો, આત્મસિદ્ધિ કરવી તે પારિષ્ઠાપનિકા અથવા ઉત્સર્ગ સમિતિ. આવી આ અષ્ટ પ્રવચન માતા જે મુનિ સમ્યફપણે આચરે છે, તે જ્ઞાની શીધ્ર સર્વ સંસારથી વિપ્રમુક્ત થાય