SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા મેં અજ્ઞાનમાં કહ્યું હતું તે સઘળું મિથ્યાત્વ છે. મેં તને દુ:ખ દેવા માટે આ ઉપાય દીધો, તે દુ:ખ ટળીને સુખ થયું, તે ત્હારો પુણ્યપસાય છે. મયણા કહે – હે પિતાજી ! અહીં તમારો વાંક નથી “જીવ સયલ વશ કર્મને, કુણ રાજા ? કુણ રાંક?' ૧૯૦ અને પછી – ભાવિતાત્મા મહાત્મા વિનયવિજયજી અને યશોવિજયજીએ શ્રીપાલ રાસમાં વિસ્તારથી રસમય વર્ણન કર્યું છે તેમ, “પગ પગ ઋદ્ધિ રસાળ” પામતા મહાભાગ્યવંત શ્રીપાળ રાજા મયણાસુંદરી સાથે નિષ્કામ ભક્તિથી સિદ્ધચક્રનું એકનિષ્ઠ આરાધન કરવા લાગ્યા. અને – “અરિહંત પદ ધ્યાતો થકો, દધ્વહ ગુણ પાય રે; ભેદ છેદ કરી આત્મા, અરિહંતરૂપી થાય રે... વીર જિનેસર ઉપદિશે. રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ નાણી રે; તે ધ્યાતાં નિજ આતમા, હોયે સિદ્ધ ગુણખાણી રે...વીર. યોગ અસંખ્ય જે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણો રે; એહ તણે અવલંબને, આતમધ્યાન પ્રમાણો રે...વીર.” – ઇત્યાદિ પ્રકારે આત્મારૂપ સહજાત્મસ્વરૂપનું ભાવન કરતાં તેઓ આત્મધ્યાનની શ્રેણીએ ચઢી આત્માની જ્ઞાનાદિ ઋદ્ધિની નિરંતર વૃદ્ધિ કરવા લાગ્યા; અને આમ તાત્ત્વિક શુદ્ધ ભક્તિથી આત્માર્થરૂપ અમૃતાનુષ્ઠાન વડે આત્માને ધન્ય કરી, આ બન્ને ભાવિતાત્મા મહાત્માઓ ઉત્તમ ગતિને પામ્યા. (દોહરા) આત્મારૂપ સિદ્ધચક્રના, આરાધનથી નિષ્કામ; શ્રીપાલ મયણાએ કર્યું, આત્મસિદ્ધિનું કામ. નવપદજીના
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy