SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા शिक्षापाठ ७० : मंत्र . યોગનો પ્રથમ ભેદ અધ્યાત્મ છે અને તે અધ્યાત્મનો પ્રાથમિક પ્રકાર મંત્ર જપે છે; આ દેવતાસ્તવરૂપ મંત્ર એ પણ ભક્તિપ્રધાન હોઈ, ભક્તિમય અધ્યાત્મના માર્ગે ચઢવાનો એક ઉત્તમ પ્રકાર છે. કારણકે પુન: પુન: તે ને તે મંત્રપદના પરાવર્તનરૂપ જપથી, ભાવનથી, રટણથી, ધૂનથી તેના અંતસ્તવત્વ પ્રત્યે જીવનું લક્ષ્ય કેન્દ્રિત થાય છે. એટલે પરમાત્માના નામમંત્રનું પદસ્થ ધ્યાન એ જીવને સ્વરૂપારોહણ માટે પુષ્ટ આલંબન થઈ પડે છે. આવો સન્મત્રવિષયી જપ ક્યાં અને કેવી રીતે કરવા યોગ્ય છે, તેનો યોગબિન્દુમાં આ વિધિ પ્રદર્શિત કરેલો છે : દેવતાની આગળમાં, અથવા નિર્મલ જલ સમીપમાં, અથવા વિશિષ્ટ કૂમકુંજમાં સ્થિર આસન, પર્વ-આંગળીના વેઢાથી કે રૂદ્રાક્ષની માળાથી (નોકારવાળીથી) ગાગના કરતાં, નાસિકાના અગ્રભાગે દષ્ટિ સ્થાપિત કરી, પ્રશાન્ત અંતરાત્માથી મંત્રજપ કરવા યોગ્ય છે; અને તે જપ કરતાં તે મંત્રપદના વણમાં, અર્થમાં આલંબનમાં ચિત્તનું અનુસંધાન કરવા યોગ્ય છે. પરંતુ મનોવિસ્ત્રોતસિકારૂપ ઉપપ્લવ થાય અર્થાત્ મન ડોળાઈને આડુંઅવળું ભમવા માટે, તો જપનો ત્યાગ કરવો ઈષ્ટ છે. કારણકે તેવી ડામાડોળ ઉપપ્લવ અવસ્થામાં જપનો ત્યાગ કરવાથી મિથ્યાચારનો પરિત્યાગ હોય છે; અર્થાત્ અંદરમાંથી ઇંદ્રિયાદિ વિકાર રોધ્યા નથી ને વ્હારમાં પ્રણિધાનથી પ્રશંત આકાર ધારણ કર્યો છે એવા દાંભિક દેખાવનો પરિત્યાગ હોય છે. એટલે મંત્રભંગ મ થાઓ એવા ત્રાણપરિણામને લીધે તેની શુદ્ધિકામનાથી થતો ત્યાગ પણ અત્યાગ જ છે. આમ વિધિથી પવિત્ર મંત્રના જપથી, તથાવિધ મંત્રથી સ્થાવરજંગમ વિષની જેમ, મિથ્યાત્વાદિ સર્વ પાપનો પ્રણાશ થાય છે. ‘મંત્ર’ શબ્દનો અર્થ પણ તે જ સૂચવે છે. મં+ત્ર અર્થાત પાપમાંથી ત્રાણ કરે. રક્ષે-બચાવે તે મંત્ર. મં+ગલ-પાપને ગાળનારા આ મંગલ મંત્રોમાં પ્રથમ મંગલરૂપ મંત્રશિરોમણિ નમસ્કાર મંત્ર છે. નવકાર મહા પદને સમરો, નહિ એહ સમાન સુમંત્ર કહો.” આ પંચ પરમેષ્ઠિ
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy