________________
૧૭૮
પ્રશાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ६८ : अविरति સર્વ પરભાવ-વિભાવથી વિરામ પામી જે આત્મારામી થયા છે, એવા સર્વ સર્વવિરતિ સમષ્ટિ સાધુ પુરુષોનું પૂજ્યપણું આગલા પાઠમાં દર્શાવ્યું. પણ અંતરથી મોહ છૂટવારૂપ સમ્યગુદર્શનયુક્ત તથારૂપ ભાવવિરતિપણું ન હોય, તો બાહ્ય દ્રવ્યવિરતિ માત્રથી તેવું પૂજ્યપણું ઘટતું નથી. અર્થાત્ સમ્યગુદર્શનભાવસંપન્ન યથોક્ત સાધુગુણથી ભૂષિત એવા ભાવાચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાધુ આદિ જ વંદન કરવા યોગ્ય પાત્ર છે; નહિ કે સમ્યગદર્શનાદિ ગુણ વિહીન એવા માત્ર દ્રવ્ય લિંગ ધારણ કરનારા દ્રવ્યાચાર્ય, દ્રવ્ય ઉપાધ્યાય, દ્રવ્ય સાધુ આદિ. “તંગદળો | વંદ્રિવ્યો' કારણકે “સંસમૂનો ધો' સમ્યગુદર્શન એ ધર્મવૃક્ષનું મૂલ છે. એ મૂલ વિના ધર્મવૃક્ષ ઊગે જ નહિ. દ્રવ્યથી સર્વવિરતિ આદિ પણ સમગ્ગદર્શનભાવરૂપ મૂલ હોય તો જ ભાવથી વિરતિ છે, નહિ તો ભાવથી અવિરતિ જ છે. “ગુડિવિવારે પત્તો વિરગો વિરગો નિયમ ” (યશોવિજયજી). વ્રતને સમ્યકત્વમૂલ કહ્યા છે તેનું આ જ રહસ્ય છે. માટે પરમાર્થથી સાધુત્વ તો સર્વ પરભાવની ઈચ્છાથી વિરામ પામેલા ‘સ્વરૂપસ્થિત ઇચ્છારહિત’ એવા આત્મજ્ઞાની સમ્યગુદૃષ્ટિ પુરુષમાં જ ઘટે છે; અને ત્યાં ક્વચિત પ્રારબ્ધોદયથી બાહ્ય દ્રવ્યવિરતિ ન હોય તો પણ અંતથી મોહ છૂટવારૂપ ભાવવિરતિ તો અવશ્ય હોય જ છે. " સમ્મતિ પાસદ તે નો રિ પસંદા" જે સમકત્વ-આત્મજ્ઞાન છે તે જ મૌન- મુનિપણું છે, “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે,” ઈત્યાદિ વચનો આની સાક્ષી પૂરે છે.
આવશ્યક નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ આ જ વસ્તુ ધાતુ અને છાપના દષ્ટાંતે સ્પષ્ટપણે સમર્થિત કરી છે. ધાતુ ખોટી અને છાપ ખોટી, અથવા ધાતુ ખોટી અને છાપ સાચી, એ બે પ્રકાર લઈના રૂપીઆ જેવા બનાવટી (Counterfeit) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તો ખોટા રૂપીઆની જેમ સર્વથા અમાન્ય-અસ્વીકાર્ય છે. અને ધાતુ સાચી, પણ છાપ ખોટી અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી,