________________
પલાવબોધ મોક્ષમાળા
સ્વાધ્યાયમાં સદા નિમગ્ન હોય છે; અને પરમાર્થપ્રધાન ધર્મના પ્રતિપાદક સૂત્ર-અર્થના વિસ્તારમાં રસીયા એવા આ પરમ તત્ત્વરસિક મહામતિઓ મૂર્ખ શિષ્યને પણ વ્યુત્પન્ન કરે, “પાષાણને પણ પલ્લવ આણે” એવા સમર્થ હોય છે. શ્રમણગણના શુદ્ધ આત્મધર્મની પરમાર્થચિંતા રાખનારા આ પરમ ઉપકારી ગણિવરો “બાવના ચંદન સમ રસ વયણે, અહિત તાપ સવિ ટાળે,” એવા પ્રશમરસનિમગ્ન શાંતમૂર્તિ ધર્માત્મા હોય છે. અરિહંત મહારાજે પ્રણીત કરેલા જિનશાસનમાં રાજા સમાન આચાર્ય ભગવાન છે; તેના પદને યોગ્ય રાજકુમાર જેવા આ પચીસ ગુણરત્નોથી વિરાજમાન ઉપાધ્યાય ભગવાનું શુદ્ધ આત્મધર્મરૂપ જિનશાસનનો અપૂર્વ ઉદ્યોત કરે છે. '
“મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાન” તે પાંચમું સાધુ પદ. સમગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમચારિત્ર એ ત્રણેની અભેદ એકતારૂપ મોક્ષમાર્ગની આત્મપરિણતિમય અખંડ આરાધના આ મુમુક્ષુ મુનિવરો કરે છે. આત્માને જાણી, દેખી, આ આત્મારામી મુનિઓ આત્મામાં જ વર્તાવારૂપ શુદ્ધ 'વૃત્ત'-ચારિત્ર પાળે છે. આમ શુદ્ધ આત્માની અખંડ ઉપયોગ-જાગ્રતિ જેને વર્તે છે, એવા આ શુદ્ધોપયોગવંત શ્રમણ ભગવંતો સર્વત્ર સમભાવી વીતરાગ હોય છે. અહિંસાદિ પંચમહાવ્રતનું દ્રવ્યભાવથી સમ્યફ પાલન કરનારા આ યતિવરો છ કાયની રક્ષામાં નિરંતર યતનાવંત હોય છે. પાંચ ઇંદ્રિય અને ચાર કષાયના નિગ્રહમાં નિપુણ આ સંયમીજનો સંયમ યોગમાં કૌશલ્યવંત હોય છે. મનગુપ્તિ, વચનગુપ્તિ ને કાયગુપ્તિથી ગુપ્ત એવા આ શાંતમૂર્તિ સ્વરૂપગુપ્ત સંતો, પ્રતિક્ષણે આત્મસ્વરૂપની પ્રતિલેખના-અનુપ્રેક્ષા કરતા રહી સદા શુદ્ધોપયોગવંત હોય છે. ગમે તેટલા ઘોર પરીષહો કે ઉપસર્ગો આવી પડે તો પણ આ ભાવિતાત્મા મહાત્માઓ આત્મભાવમાં અખંડ સ્થિરતાવંત હોય છે. આવા સત્યાવીસ ગુણરત્નોથી વિભૂષિત આ મહા તપસ્વી પુરુષો નિરંતર સ્વાધ્યાય-ધ્યાનમાં નિમગ્ન રહે છે; આત્મસિદ્ધિની સાધનાર્થે અપ્રમત્તપણે આવું સાધુજીવન ગાળી રહેલા આ સર્વ સાધુચરિત સાધક પુરુષો આ જીવનમાં જ દેહ છતાં દેહાતીત એવી જીવનમુકત દશાનો