________________
પ્રશાવબોધ મો માળા
દશ ત્યાં પ્રગટ વર્તે છે. પછી ચરમ શરીરથી ત્રિભાગ ન્યૂન એવી અવગાહના લઈ આ પુરુષાકાર પ્રભુ, ‘પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથીઉર્ધ્વગમન કરી, સમય માત્રામાં લોકશિખરાગ્રે સિદ્ધાલયમાં
ગે છે. અને ત્યાં જેની અનુપમ જ્યોતિ જ્યોતિમાં મળી ગઈ છે. એવા આ અનંત આત્મલક્ષ્મીના સ્વામી “રમાપતિ આતમરામ”. સિદ્ધ ભગવાન અનંત સમાધિસુખમાં સાદિ અનંતો કાળ સ્થિતિ કરે છે. જંગલમાં વસનારો ભિલ્લ નગરના ગુણ જાણે પણ કહી ન શકે, તેમ કેવલી ભગવાન પણ અનુભવથી જાણે છે છતાં આ સહજાન્મસ્વરૂપ પ્રભુના અનુપમ સિદ્ધિસુખનું વર્ણન કરવાને સમર્થ નથી. તો બીજાનું તો શું ગજું? (દોહરા) સદેહ મુકત આત્મા નમું, અરિહંત અહેત;
વિદેહ મુક્ત આત્મા નમું, સિદ્ધ શુદ્ધ ભગવંત.
शिक्षापाठ ६७ : पंच परम पद विषे विशेष
विचार } भाग २ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવતવિ છે એવા આચાર્ય ભગવાન, તે ત્રીજું આચાર્ય પદ. દેહાદિ સર્વ પરભાવથી ભિન્ન આત્માને જાણવારૂપ જે જ્ઞાન, તેનું આ આત્મજ્ઞાની પુરુષ આત્માનુભવરૂપ આચરણ કરે છે. આત્મસાક્ષાતકારથી ઉપજતી પ્રતીતિરૂપ જે દર્શન તેના નિ:શંક નિશયરૂપ આચરણમાં આ સમગુદષ્ટિ પરષ દઢતા ધરે છે. સર્વથી ભિન્ન એવો અસંગ આત્મા જાગ્યો-પ્રતીત્યો તેવો સ્થિર સ્વભાવ ઉપજવારૂપ જે ચારિત્ર, તેના આત્મરણારૂપ આચરણમાં આ આત્મારામ વીતરાગ પુરુષ નિરંતર રમે છે. ઈચ્છાનિરોધરૂપ દ્વાદશવિધ તપના બલથી આત્મસ્વરૂપમાં પ્રતપનરૂપ જે તપ, તેના આચરણથી આ તપોધન મહાત્મા પ્રતાપે છે. દર્શન-જ્ઞાન પ્રધાન આ