________________
૧૭૦.
પ્રશાવબોધ મોક્ષમાળા
શું પાદપઘે પ્રભુના ધરું હું?
શી રીત આત્મા અનુણો કરું હું? એ આત્મ તો આપથી કાંઈ વેદું,
નૈવેદ્ય આ આત્મતણો ૭ નિવેદું. ગુરૂ ગુણે ગૂંથી ભરી સુવાસે,
આ વર્ણમાલા ભગવાન દાસે; આ પ્રાજ્ઞ કઠે ગત પુષ્પમાલા,
ઘો આત્મસિદ્ધિમય મોક્ષમાલા! ૮
(૨)
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.”
હે શ્રી સદગર ભગવંત! આ ભયંકર ભવાટવીમાં સન્માર્ગની દિશાનું ભાન નહિ હોવાથી, આ જીવ ચારે ગતિમાં ગોથાં ખાતો અનંત દુ:ખ પામતો હતો. તેને નિજ સ્વરૂપના અવંચક યોગરૂપ સીધો સરલ નિર્દોષ સન્માર્ગ દર્શાવી, આપે અનંત પરિભ્રમણ દુ:ખથી ઉગાર્યો. આ આપના અનંત ઉપકારની સ્મૃતિ કરી, હું આપના ચરણકમળમાં નમસ્કાર કરું .
હે આત્મજ્ઞાનના નિધાન! આ મારો આત્મા જે અનાદિથી આત્મભ્રાંતિરૂપ મહારોગથી પીડાતો હતો, અને “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ રૂપ મૃત્યુશધ્યામાં પડ્યો હતો, તેને આપ સુવૈદ્ય સ્વરૂપસમજણરૂપ દિવ્ય ઔષધિ વડે આરોગ્યસંપન્ન કર્યો, અને પરમ અમૃતરૂપ સહજત્મસ્વરૂપ પ્રકાશનારા સમ્યગદર્શન મંત્ર પ્રયોગવડે બોધિબીજરૂપ અપૂર્વ સંસ્કારબીજ રોપી, યોગિકુલે જન્મરૂપ નવો જન્મ આપ્યો. હે કરુણાસિન્ધ! આપે આ પામર પર અપાર ઉપકાર કર્યો.