SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશાવબોધ મોણમાળા કુણ ઘર આચાર? ... મનરા વાલા!”(આનંદઘનજી) પણ આવા કરુણ વિલાપોની કે ઓળભાની કે અન્યના સમજાવટભર્યા પ્રયાસોની વિરક્તચિત્ત નેમનાથજી પર કંઈ અસર પડી નહિ. તે તો પાછા ફર્યા તે ફર્યા. અને આમ તીણ મોહબંધનના તત્પણ છેદનનું અપૂર્વ વીરત્વ દાખવી જેણે સર્વસંગપરિત્યાગનો દઢ નિશ્ચય કર્યો હતો, એવા આ યદુવંશચંદ્રમા નેમનાથજી સંવત્સરી દાન દઈ, સમસ્ત રાજલક્ષ્મીનો તૃણવત્ ત્યાગ કરી ચાલી નીકળ્યા. પ્રવ્રજ્યા સમયે જ આ અમોહરૂપ વીતરાગ મુનીશ્વરને ચોથું મન:પર્યવજ્ઞાન ઉપર્યુંઅને પછી અલ્પ સમયમાં જ તેમને લોકાલોકનો પ્રકાશ કરનારૂં કેવલજ્ઞાન પ્રગટ્યું. “નેમિ જિસેસર નિજ કારજ કર્યું, છાંડયો સર્વ વિભાવોજી; આતમશક્તિ સક્લ પ્રગટ કરી, આસ્વાદ્યો ભાવોજી.” દિવચંદ્રજી) દરમ્યાનમાં તીવ્ર વિરહવ્યથા અનુભવતાં જેનો એકેક દિવસ વરસ જેવો જતો હતો અને એકેક ક્ષણ દિવસ જેવી જતી હતી, તે વિરહિણી રાજમતી મોહદશાવાળી ભાવના ભાવતી રહી; અને “પ્રેમ કલ્પતરુ છેદિયો રે, ધરિયો જોગ ધતૂર! મનરા વાલા! ચતુરાઈરો કુણ કહો રે, ગુરુ મિલિયો જગ સૂર? મનરા વાલા!” ઇત્યાદિ પ્રકારે કવચિત્ ઉપાલંભરૂપ, ક્વચિત આક્ષેપરૂપ, કવચિત વિનવણીરૂપ કરુણ વિલાપ કરતી હતી. છેવટે તેની આ મોહદષ્ટિ ફરે છે ને તેનું ચિત્ત તત્ત્વવિચાર પામે છે કે-અમોહસ્વરૂપ પ્રાણનાથે તો ચોક્કસ વીતરાગતા આદરી છે. “વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર.” માટે આ સેવક પણ જો તે વીતરાગતા આદરે, તો જ સેવકની લાજ રહે, એમ સમજી ચિત્તસમાધાન પામી તે મહાસતી વિરકતચિત્ત થઈને વૈરાગ્યતરંગિણીમાં ઝીલવા લાગી. હવે આ તરફ એવું બન્યું કે-રથનેમિ નામે નેમનાથજીના નાના ભાઈ હતા. તેને રાજીમતી પ્રત્યે મોહ ઉત્પન્ન થયો અને તે તેનો હાથ મેળવવા માટે અનેક ફાંફા મારવા લાગ્યા. પણ ભગવતી રાજીમતીજી તો વરવું તો તેમનાથને એ પોતાની પ્રતિજ્ઞામાં અચળ રહ્યા હતા, અને હવે
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy