________________
ભગવાન નેમિનાથજી અને મહાસતી રામતી
૧૬૫
૧૮
શત્રુસંહારથી ત્યારે, “યથાખ્યાત' અહીં, કહ્યું; સ્વરૂપતેજ તે તેવું, વીરનું પ્રતપી રહ્યું. કેવલ લક્ષ્મીએ આવી, વીરના કંઠ નાલમાં; વિજયમાલ આરોપી, કર્યું તિલક ભાલમાં. સર્વજ્ઞ સર્વદર્શી આ, વિજેતા વિશ્વવિજયી; સર્વ વીર વિષે શ્રેષ્ઠ, સાચા વીર થયા નથી. વીરત્વ દાખવ્યું સાચું, આત્મપરાક્રમે ભર્યું; તે વીર ભગવાન દાસે, સ્તવ ભક્તિ ભરે કર્યું.
૨૦
૨૧
शिक्षापाठ ६४ : भगवान नेमनाथजी अने -
महासती राजीमती શ્રી કૃષ્ણ વાસુદેવ આદિ સાજન-મહાજનથી શોભતી નેમનાથજીની જાન નિયત દિને મોટા ઠાઠમાઠથી રવાના થઈ. ત્યાં માર્ગમાં પાંજરામાં પૂરેલાં પશુઓનો કરુણ પોકાર સાંભળી જેનું હૃદય દ્રવી ગયું હતું, એવા કરુણાસિબ્ધ નેમનાથજી તોરણથી રથ પાછો ફેરવી ચાલ્યા ગયા. તેમના પિતા રાજા સમુદ્રવિજય, માતા શિવાદેવી, પિત્રાઈ ભાઈ શ્રીકૃષ્ણ વાસુદેવ આદિએ ઘણું ઘણું સમજાવ્યા, પણ વિરક્તચિત્ત નેમનાથજી પાછા વળ્યા નહિ.
આ તરફ રાજકન્યા રાજમતી પણ લાગલાચટ આઠ ભવનો અખંડ પ્રેમસંબંધ સંભારી કરુણ વિલાપ કરવા લાગી-“અષ્ટ ભવંતર વાલહી રે, તું મુજ આતમરામ .. મનરા વાલા! મુક્તિ સ્ત્રીશું આપણે રે, સગપણ કોઈ ન કામ .. મનરા વાલા! ઘર આવો હો વાલમ ઘર આવો, મારી આશાના વિશરામ... મારા વાલા! રથ ફેરો હો સાજન રથ ફેરો, મારા મનના મનોરથ સાથ... મારા વાલા! પશુ જનની કરુણા કરી રે, આણી હૃદય વિચાર ... મનરા વાલા! માણસની કરુણા નહિ રે, એ