________________
૧૬૪
પ્રશાવબોધ મોક્ષમાળા
સુદર્શન ધર્મચક, મહા વીરે ઉપાડિયું; મિથ્યાદર્શન સેનાની, તણું શિર ઉડાડિયું. ૮ કર્મના સૈન્યમાં ત્યારે, ભંગાણ જ પડયું તહીં; હાહાકાર મઓ ભારી, નાશભાગ થઈ રહી. ૯ ચારિત્રમોહ રાજે ત્યાં, સરદારી લીધી અને; હિંમત આપીને રોક્યું, નાશતા કર્મ સૈન્યને. ૧૦ ચારિત્રધર્મ યોછે ત્યાં, મુગર વ્રતનો ધર્યો; ચારિત્રમોહના પાદ, ઉચ્છેદી લંગડો કર્યો. ૧૧ જાગ્રતિ બાણ તાકીને, અપ્રમાદ ધનુધર; મોહના મર્મમાં મારી, મૂચ્છિત જ કર્યો અરે! ૧૨ મૃતપ્રાય છતાં મોહ, અંતરે સંજ્વલી” રહ્યો; વીર વિક્રમ ભાળી શું, ઈર્ષાથી તે જલી રહ્યો! ૧૩ મહામોહ મહાશત્રુ, કદાચ ઉછળે વળી; ક્ષય કર્યા વિના તેને, રેઢો ના મૂકવો જરી. સતત લાગતા વીર, અપૂર્વ કરણે વધ્યા; ખતમ કરવા મોહ, શ્રેણી-ગજ પરે ચઢયા. ૧૫ તેના પદ તળે જીંદી, માર્યો જ મોહ મૂલથી; આત્મપરાક્રમી વીરે, રત્નત્રયી ત્રિશૂલથી. કર્મના અન્નદાતા આ, મરાતાં મોહ વીરથી; ટપોટપ પડયા ત્રણે ઘાતિ યોદ્ધા મહારથી. ૧૭
* ચારિત્રમોહના અપ્રત્યાખ્યાનાવરણ ને પ્રત્યાખ્યાનાવરણ કપાયરૂપ બે પગ.
લગભગ મરી ગયેલો. સંજ્વલન કષાયના હોવાપણાને લીધે સંજ્વલી રહ્યો, જરા જરા જ્વલતો રહ્યો. * અપૂર્વકરણ ગુણસ્થાને અપૂર્વ આત્મસામર્થથી. * સપક શ્રેણીરૂપ ગજરાજ પર આરુઢ થયા. " જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ને અંતરાય એ ત્રણ ઘાતકર્મરૂપ યોદ્ધા.