SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયાદિ ભંગ . ૧૪૯ પણ પિડ પ્રકૃતિનાં * ઉત્તર ભેદ ૬૫ ગણીએ તો નામ કર્મની ૯૩ પ્રકૃતિ થાય, ને તેમાં વળી બંધનના ૧૫ ભેદ ગણીએ તો ૧૦૩ પ્રકૃતિ થાય. (આ ૯૩ કે ૧૦૩ ભેદ સત્તામાં ગણવા) અને આ ૧૦૩ ભેદમાં પંદર બંધન તથા પાંચ સંઘાતન એ વીસ પ્રકૃતિનો શરીરમાં જ અંતભવ કરીએ, તથા વર્ણ-ગંધ-રસ-સ્પર્શના વીસ ભેદ છે. તેમાંથી એક વર્ગ એક ગંધ એક રસ અને એક સ્પર્શ એમ સામાન્ય ચાર ભેદ લઈએ, તો આમ ૩૬ પ્રકૃતિ બાદ કરતાં નામ કર્મની ૬૭ પ્રકૃતિ થાય. (આ ૬૭ ભેદ બંધ-ઉદય ગણનામાં કરવા). આમ આઠે કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૪૮ અથવા ૧૫૮ સત્તામાં છે, અને ઉદય-ઉદીરણામાં ૧૨૨ પ્રકૃતિ છે; પણ સમ્યકત્વમોહની અને મિશ્રમોહની એ બે પ્રકૃતિ બંધમાં ન ગણવી, એટલે બંધમાં ૧૨૦ પ્રકૃતિ છે. આ ઉત્તર પ્રકૃતિના ઉદયાદિ ભંગની પ્રત્યેક ગુણસ્થાનાશ્રયી વિશેષ વિચારણા માટે જિજ્ઞાસુએ કર્મગ્રન્થ-ગોમટ્ટસાર આદિ અવલોકવા. અત્રે તો કયા ગુણસ્થાનકે કઈ કઈ મૂલ પ્રકૃતિ બંધમાં, ઉદયઉદીરણામાં ને સત્તામાં હોય તેનું સંક્ષેપે દિગ્ગદર્શન કરશું : (૧) બંધ-નવમા ગુણસ્થાનક પર્યત સર્વ મૂલ પ્રકૃતિ બાંધનારને અંતમુહૂર્ત સુધી આઠે પ્રકૃતિનો બંધ હોય, આયુષ્ય સિવાય સાતનો બંધ હોય. ૧૦મા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે મોહનીય બંધ વિરામ પામે, એટલે આયુષ્ય બંધના અભાવે ૬ નો બંધ હોય. ૧૧ મા ઉપશાંતમોહ, ૧૨ મા ક્ષીણમોહ અને ૧૩ મા સયોગી કેવલિ ગુણસ્થાને સાત પ્રકૃતિનો બંધ વિરામ પામે, માત્ર એક સાતવેદનીયનો બંધ હોય. * જેના ઉત્તર ભેદ છે એવી પિંડરૂપ-સમૂહરૂપ પ્રકૃતિ તે પિંડ પ્રકૃતિ. તેના ઉત્તર ભેદ આ પ્રકારે : (૧) ગતિ ૪-દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક. (૨) જાતિ ૫ : એકૅક્રિયાદિ. (૩) શરીર ૫ : ઔદારિક, વૈકિય, આહારક, તેજસુ, કામણ. (૪) ઉપાંગ ૩ : ઔદારિક, વૈકિય, આહારક. (૫) બંધન ૫ : ઔદારિકાદિ. (૬) સંઘાતન ૫ : ઔદારિકાદિ. . (૭) સંઘયણ ૬ : વજષભનારાચ, ૨ષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કલિકા, છેવ. . (૮) સંસ્થાન ૬ : સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ પરિમંડળ, સાદિ, કુર્જ, વામન, હુંડ. (૯) વર્ણ ૫ : કૃષ્ણ, નીલ, લોહિત, પીત, શ્વેત. (૧૦) ગંધ ૨ : સુરભિ, દુરભિ. (૧૧) રસ ૫ : તિક્ત, ટુ, કષાયલ, અમ્લ, મધુર. (૧૨) સ્પર્શ ૮ : ગુરુ-લધુ, ખર-મૃદુ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂા. (૧૩) આનુપૂર્વી ૪: દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, નરકાનુપૂર્વી. (૧૦) વિહાયોગતિ ૨ : શુભ વિહાયોગતિ, અશુભ વિહાયોગતિ. એમ ૬૫ ભેદ થાય.
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy