________________
૧૪૮
પ્રશાવબોધ મો માળા
(૮) અંતરાય. તે શ્રીગૃહિકભંડારી જેવું છે. આ અષ્ટ કર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર પ્રકૃતિ, આત્માના મૂળ સ્વભાવભૂત જ્ઞાન-દર્શન સ્વરૂની ઘાત કરનાર હોવાથી ‘ઘાતિ' કહેવાય છે. બાકીની વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર પ્રકૃતિ મૂળ આત્મસ્વરૂપની ઘાતક કે બાધક નહિ હોવાથી ‘અઘાતિ” કહેવાય છે.
આ આઠ મૂલ પ્રકૃતિની ઉત્તર પ્રકૃતિ ૯૭ કિ ૧૨૨, ૧૪૪ કે ૧૫૮) છે : (૧) જ્ઞાનાવરણીય ૫ : મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ ને કેવલ એ પાંચના આવરણ. (૨) દર્શનાવરણીય ૯ : ચક્ષુ, અચકું, અવધિ ને કેવલ એ ચારના આવરણ, અને પાંચ નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા, થીણક્કી. (૩) વેદનીય ૨ : સાતા, અસાતા. (૪) મોહની ૨૮ : સમ્યકત્વમોહની, મિથ્યાત્વમોહની, મિશ્રમોહની એ ત્રણ મોહની; અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખાનાવરણીય, સંજ્વલન એ પ્રત્યેકના કોધ-માન-માયાલોભ એ સોળ કષાય; હાસ્ય, અરતિ, રતિ, ભય, શોક, દુગચ્છા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસવેદ, એ નવ નોકષાય,–એમ ૨૮. (૫) આયુ ૪: દેવ, મનુષ્ય, તિર્યંચ, નરક. (૬) ગોત્ર ૨ : ઉચ્ચ, નીચ. (૭) અંતરાય ૫ : દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગવંતરાય, વીર્યંતરાય. (૮) નામ કર્મ ૪૨ : (અ) ગતિ, જાતિ, શરીર, ઉપાંગ, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, વિહાયોગતિ એ ચૌદ પિંડ પ્રકૃતિ. (વ) પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થંકરનામ, નિર્માણ, ઉપઘાત એ આઠ પ્રત્યેક પ્રકૃતિ. (૨) ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ એ ત્રણ દશક. (૩) સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુ:સ્વર, અનાદેય, અપયશ, એ સ્થાવર દશક. એમ સર્વ મળી ૪૨ પ્રકૃતિ નામ કર્મની થાય. આમ આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ ૯૭ થાય.