________________
૧૨૮
પલાવબોધ મોલમાળા
- शिक्षापाठ ५० : दुष्करदुष्करकारी स्थूलभद्रजी
એકદા વિષકાળ આવ્ય સંભૂતિવિજ્ય ગુરુને પ્રણમીને ત્રણ મુનિઓએ આ અભિગ્રહ ગ્રહ્યા: એકે કહ્યું હું સિંહગુહાના દ્વારે કાયોત્સર્ગ કરી ચાતુર્માસ ઉપવાસી થઈને રહીશ. બીજાએ કહ્યું-હું ષ્ટિવિષ સર્પના રાફડા પાસે તેવી ચાતુર્માસ સ્થિતિ કરીશ. ત્રીજાએ કહ્યું-હું કુવાના ભારવટીયા પર ચાતુર્માસ ધ્યાનસ્થ રહીશ. તેઓને ગુરુએ અનુજ્ઞા આપી, ત્યાં તો સ્થૂલભદ્ર મુનિ ગુરુચરણે પ્રણમીને બોલ્યા-કોશા વેશ્યાના ગૃહે જે વિચિત્ર કામચિત્રોવાળી ચિત્રશાળા છે, ત્યાં હું વડુરસ ભોજન કરતો ચાતુર્માસ સ્થિતિ કરીશ. તેને પણ યોગ્ય જણી ગુરુએ અનુમતિ આપી. પછી તે ત્રણે સાધુઓ પ્રતિજ્ઞા પ્રમાણે સ્વ સ્વ સ્થાને ગયા; અને સ્થૂલભદ્ર મુનિ પણ જ્યાં પોતે પૂર્વાશ્રમમાં બાર વર્ષ અપૂર્વ ભોગવિલાસ ભોગવતાં વ્યતીત કર્યા હતા, તે કોશા વેશ્યાના આવાસે હો; ત્યાં કોશાએ અંજલિ જોડી કહ્યું-શી ફરમાશ છે? આ તન, ધન, પરિજન આદિ સર્વ તમારું જ છે. મુનિએ ચાતુર્માસ વસતિ માટે ચિત્રશાળાની યાચના કરી. કોશાએ અનુજ્ઞા આપી, એટલે સ્થૂલભદ્ર મુનિએ તે કામસ્થાનમાં પ્રવેશ કર્યો.
પછી ષડ્રરસ આહારના ભોજન પછી મુનિના ક્ષોભાર્થે કોશા વિશેષ શૃંગાર સજીને આવી. કોઈ ઉત્કૃષ્ટ અપ્સરા જેવી લાગતી તે કામિની તેની આગળમાં બેઠી. અને વારંવાર કામોદ્દીપક હાવભાવ દેખાડતી તે પૂર્વકાળે અનુભવેલ વિવિધ કામક્રીડાનું તેને વારંવાર
સ્મરણ કરાવવા લાગી. જે જે તે મદનમૂર્તિએ ક્ષોભ પમાડવા માટે કર્યું. તે તે આ નિષ્કામી મહામુનિમાં, વજમાં નખવિલેખનની જેમ, ફોગટ ગયું. જેમ જેમ તે ઉપસર્ગ કરતી ગઈ, તેમ તેમ આ આત્મારામી મુનિનો ધ્યાનઅગ્નિ ઓર પ્રજ્વલિત થયો. એટલે આ અક્ષોભ્ય મહામુનિના આવા પરમ ઇંદ્રિયજયથી ચમત્કાર પામેલી તે કોશા આત્માને નિન્દતી તેમના ચરણમાં પડી, અને પ્રતિબોધ પામી વેશ્યાપણું છાંડી
વ્રતધારિણી બની.. . કે પછી વર્ષમય વીત્યે તે ત્રણેય સાધુઓ અભિગ્રહ નિર્વાહિત
કરી કેમે કરીને ગુરુ પાસે આવ્યા. તે પ્રત્યેકને અહો દુષ્કરકારક! તને