SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા કવિચત્ પોતાના કોઈપણ પ્રકારના ક્ષયોપશમ આદિનું સૂક્ષ્મ અભિમાન પણ દેખા દે, તો આ સંતજનો તેને હાલાહલ વિષ જાણી તત્ક્ષણ જ દાબી દે છે, ને ચિંતવે છે કે-હે જીવ! તું પ્રભુતા (ગુરુતા) છોડી લઘુતા ધારણ કર! કારણકે “લઘુતામેં પ્રભુતા બસે, પ્રભુતાસે પ્રભુ દૂર.” વળી તું વિચાર કે આ વિશાળ જનસાગર છે, તેમાં હું તો માત્ર માનવ બુબુંદ છું. આ અનંત વિશ્વસિન્ધુના અનંતાનંતમા બિન્દુમાં પણ નહિ છતાં, આ અજ્ઞાન જીવનો અભિમાન સિન્ધુ કેટલો ? આ અભિમાન સિન્ધુને બિન્દુમાં (શૂન્યમાં) પલટાવું તો જ વિશ્વવ્યાપક જ્ઞાનસિન્ધુ ઉલ્લસે ! માટે હવે હું તો પરભાવમાં અહંભાવથી ઉપજતા અષ્ટ મદના ત્યાગની આવી ભાવના ΟΥ ભાવીશ : હે જીવ! આ સંસારમાં ચારે ગતિને વિષે તું પુન: પુન: હીનઉત્તમ-મધ્યમ જાતિપણું પામ્યો છે, તો આ જાતિમદ શ્યો? કોની કઈ જાતિ શાશ્વતી છે? (પ્રશમતિ) એમ સમજી તું ત્હારી શુદ્ધ ચૈતન્ય જાતિને સંભાર! ઉચ્ચ કુલમાં જન્મેલા પણ નીચ લક્ષણવાળા હોય છે ને નીચ કુલમાં જન્મેલા પણ ઉચ્ચ લક્ષણવાળા હોય છે, અને સુશીલપણું એ જ સાચું કુલીનપણું છે, તો પછી કુલમદ શેનો ? એમ જાણી હે ચેતન! તું સુશીલ આત્મસ્વભાવમાં વર્તાવારૂપ ત્હારા મૂલ આત્મ-કુલધર્મને ભજ! મલમૂત્ર, હાડમાંસ ને રુધિરથી ભરેલી જે ચામડાની કોથળી ત્વચાથી મઢેલી છે ત્યાંલગી જ રૂડીરૂપાળી લાગે છે, તે આ અશુચિ કાયાના રૂપનો મદ શો? એમ વિચારી દ્ઘારા શુચિ આત્મસ્વરૂપને નિહાળ! ચયાપચયક ને રોગ-જરાનું નિવાસધામ એવું આ બળવાન શરીર પણ ક્ષણવારમાં નિર્બલ ને શિથિલ થઈ પડે છે, અને બળવાન કાળ આગળ કોઈનું પણ કંઈ પણ બળ ચાલતું નથી, તો પછી બલનો મદ કોણ કરે? એમ ભાવી તું નિર્બલના બલરૂપ આત્મારામી પ્રભુનું સ્મરણ કર! લાભ-અલાભ એ કર્મને આધીન છે, ત્યાં કવિચત કંઈ તુચ્છ લાભ મળ્યો, તો તેનો મદ શો? એમ ચિંતવી હે જીવ! તું પરમ આત્મલાભની ચિંતા કર! શ્વાનની જેમ બીજાના ચાટુકર્મથી જે જનપ્રિયપણું પમાય, તેનો મદ શો? એમ વિમાસી તું આનંદઘન
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy