________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
પરભાવપ્રત્યયી સંસારફલ તે જ વંચક લ છે. આથી ઉલટું સ્વરૂપલક્ષ્ય ન ચૂકતાં સ્વરૂપલક્ષ્ય તાકવું તે અવચંક યોગ, સ્વરૂપલક્ષ્યના અનુસંધાનવાળી ક્રિયા તે અવંચક ક્રિયા, અને તેથી સાનુબંધ પ્રાપ્ત થતું સ્વરૂપપ્રત્યયી ફળ તે અવંચક ફળ. અર્થાત્ સ્વરૂપ ઓળખવું તે યોગાવંચક, સ્વરૂપ સાધવું તે ક્રિયાવંચક, ને સ્વરૂપ પામવું તે ફલાવંચક. આ અવંચક ત્રયી એ જ પરમાર્થથી સરલપણું છે.
૧૨૨
તેમાં યોગ અવંચક (સરલ) હોય અર્થાત્ સ્વરૂપલક્ષ્યનું અનુસંધાન હોય, તો જ પછી ક્રિયા અને ફલ પણ અવંચક હોય છે, નહિ તો વંચક હોય છે. કારણકે સત્પુરુષના સ્વરૂપદર્શનરૂપ યોગથી પ્રાપ્ત થતો આ સક્લ જોગજીવનરૂપ યોગાવંચક યોગ જીવનું આખું
જીવનચક્ર બદલાવી નાંખે છે. પ્રથમ જે જીવના સમસ્ત સાધન આત્મબાધક બની બંધનરૂપ થતા હતા, તે હવે સ્વરૂપલક્ષી થયા પછી આત્મસાધક બની સત્ય સાધનરૂપ થાય છે. પ્રથમ જે સ્વરૂપ લક્ષ વિના ષટ્કારક ચક્ર આત્મવિમુખપણે વક્ર ઊલટું ચાલતું હતું, તે હવે આત્મસન્મુખપણે સુલટું ચાલે છે. પ્રથમ જે આત્માની બધી ચાલ આશ્રવ-બંધપણે અવળી ચાલતી હતી, તે હવે સંવર-નિર્જરારૂપ થઈ સવળી ચાલે છે. પ્રથમ જે જીવના સમસ્ત યોગ-ક્રિયાદિ સ્વરૂપલક્ષને ચૂકી વાંકાચૂકા ચાલતા હોઈ, વંગામી હોઈ, વંચક થઈને પ્રવર્તતા હતા, તે હવે સ્વરૂપલક્ષ્યને સાંધી, સીધા સરલ ચાલી, અવંકગામી થઈ, અવંચક-સરલ થઈને પ્રવર્તે છે. અને એટલે જ પછી આ સરલાત્મા મુમુક્ષુ જીવ નિરંતર આત્મસ્વભાવ અનુગતપણારૂપ ૠજુતામાંસરલતામાં રમે છે ને અનાદિ ઉપાધિને વમે છે. “તે માટે મુનિ ૠજુતાએ રમે રે, વમે અનાદિ ઉપાધિ.’
(દોહરા) માર્ગ ૠજુ છે મોક્ષનો, મોક્ષ જુનો હોય; મુમુક્ષુજન ૠજુ સદા, સરલપણાથી સ્નોય. સ્વરૂપલક્ષ્યના યોગથી, યોગ અવંચક ધાર; સ્વરૂપાનુગત ફલ ક્રિયા, સરલપણું તે સાર.