SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સરલપણું સમાતાં તેમણે ગૌતમસ્વામી પાસે સરલતાથી પંચ વ્રતનો સ્વીકાર કર્યો હતો. ૧૨૧ સરલ જીવ અવળાનો પણ સવળો અર્થ કરે છે ને વક્ર જીવ સવળાનો પણ અવળો અર્થ કરે છે. નટડો નાચતા જોવાનો ગુરુએ નિષેધ કર્યો, ત્યાં વક્ર જડ કહે છે-તમે મને નટડીને જોવાનો નિષેધ ક્યાં કર્યો. હતો ? તેમ આ ઉતરતા કાળના લોકોની વક્રતા જડતાની તો અવધિ છે ! પણ સરચિત્ત જીવ તો પોતાની ભૂલનો સ્વીકાર કરતાં કદી અચકાતો નથી. પોતાની હિમાલય જેવડી ભૂલનો (Himalayan blunder) બાપોકાર જાહેર સ્વીકાર કરનારા મહાત્મા ગાંધીજીનો સરલતા ગુણ પ્રસિદ્ધ છે. તેમજ−‘મહાવીર સ્વામીએ કહ્યું-હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે, માટે આનંદ પાસે જઈ ક્ષમાપના લ્યો. તહત્ કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા.' કેવી અદ્ભુત સરલતા ,; ભાવથી તો સ્વરૂપને છોડી આત્માનું ચેતનાવીર્ય પરભાવ અનુગત થઈ વાંકું ચાલે તે વક્રતાની ચાલ અર્થાત્ અસરલપણું છે. મહાત્મા દેવચંદ્રજીએ સાધુપદ સજ્ઝાયમાં કહ્યું છે તેમ “પરભાવાનુગત ચેતના રે, તેહ વક્તા ચાલ. આ વક્રતા ચાલથી આત્મા પરભાવ-વિભાવનો કર્તા બને, તે આત્માનું વક્રપણું અથવા અસરલપણું છે. આવું પરભાવ પ્રત્યેનું વક્ર ગમન ન કરતાં, આત્મા નિજ સ્વભાવને જ અનુસરી તેનો જ કર્તા ભોક્તા થાય તે સરલપણું. આ પારર્થિક ભાવ સરલપણું સમજવા માટે યોગાવંચક, ક્રિયાવંચક અને લાવંચકનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. આ અવંચક ત્રિપુટીને બાણની લક્ષ્યક્રિયાની ઉપમા સાંગોપાંગ ઘટે છે. શુદ્ધ આત્મસિદ્ધિરૂપ લક્ષ્યને અનુલક્ષીને–તાકીને કરવામાં આવેલા યોગ, ક્રિયા ને ફળ અવંચક હોય, અવશ્ય પોતાના સાધ્યરૂપ લક્ષ્યને સાધે. પણ સ્વરૂપ-લક્ષ્યને ચૂકીને કરવામાં આવેલા યોગ, ક્રિયા ને ફલ પંચક હોય, સાધ્ય લક્ષ્યને ન સાધે. આમ આત્માનું સ્વરૂપ લક્ષ્ય ચૂકી જવારૂપ વંચકપણું-વક્રપણું તે જ વંચક યોગ છે; પરભાવ અનુગત ક્રિયારૂપ વક્ર .ગમન તે જ વંચક ક્રિયા છે; અને તેથી પ્રાપ્ત થતું
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy