________________
પ્રશસ્ત યોગ
૧૧૭.
ભૂત માત્રમાં મૈત્રી ધરાવે, ગુણ ભાળી આનંદે રે; પરનું દુ:ખ પોતાનું માની, પરદુ:ખે અનુકંપે રે ... સા. ૨ પરસ્ત્રી પ્રત્યે માત બહેન ને, પુત્રી દષ્ટિ રાખે રે; સ્વપ્ન પણ ભૂભંગ ન જેનો, વિકારરેખા દાખે રે ... સા૩ દીન દુ:ખી સેવાના કાર્યું, હાય કરે વણ માગ્યું રે; પરોપકાર કરણનું જેને, વ્યસન વસમું લાગ્યું રે ... સા. ૪ આત્મ સમા સહુ જીવ માનીને, સાધર્મિક નિજ જાણેરે; તન મન ધનથી સાર કરતો, વત્સલતા ખૂબ આણે રે .. સા. ૫ સપ્ત વ્યસનને દૂર કરતો, ભક્ષ્યાભઢ્ય સંભાળે રે; દ્રવ્યભાવથી શૌચ ચરતો, સદાચાર શુભ પાળે રે ... સા. ૬ નિત નિત નિર્મળ રત્નત્રયીનું, ભૂષણ ધરતો અંગે રે; શમ સંવેગાદિ ગુણવંતો, વૈરાગી અંતરંગે રે ... સા. ૭ રહ્યો સંસારે પણ સંસારી, રંગે નવ લેપાયે રે; જલમાં કમલ રહ્યું છે તોયે, જલનો સંગ ન થાયે રે .... સા. ૮ શ્રદ્ધાનું બખ્તર દઢ હેરી, ઢાલ વિવેકની ધારી રે; ભક્તિ અસિથી દાસ ભગવાને, મોહમંડલી મારી રે ... સા. ૯
शिक्षापाठ ४६ : प्रशस्त योग દેશથી કે સર્વથી શુદ્ધ ધર્મનું પાલન કરવું તે મોક્ષસાધક યોગ છે; અને સ્વરૂપલક્ષ્યવાળા તે પ્રત્યેક યોગને જ્ઞાનીઓએ પ્રશંસેલો છે. કારણ કે ધર્મ એટલે આત્મસ્વભાવ અને આ આત્મસ્વભાવ સાથે મુંજન થવું તે જ યોગ. એટલે જેના વડે કરીને આત્મા સ્વરૂપનું અનુસંધાન પામે, એવો સ્વરૂપલક્ષ્યવાળો પ્રત્યેક પરિશુદ્ધ ધર્મવ્યાપાર તે જ્ઞાનીઓએ પ્રશંસેલો પ્રશસ્ત યોગ છે. અથવા સ્વરૂપના લક્ષ્યપૂર્વક મન-વચન-કાયાના યોગનો સદ્ભક્તિ આદિમાં શુભ પ્રયોગ કરવો, તે પણ પ્રશસ્ત યોગ છે. કારણકે જેણે આત્મસ્વરૂપ યુજનરૂપ યોગની સિદ્ધિ કરી છે, એવા સત્ યોગીઓ