________________
૧૦૮
પ્રશાવબોધ મોક્ષમાળા
પુદગલોવાળું એવું ઔદારિક શરીર તે ગર્ભજ કે સંપૂઈન જ હોય, ને તે તિર્યંચ તથા મનુષ્યને હોય છે. વિકિયા પામનારૂં એવું વૈકિય શરીર જન્મપ્રત્યયી દેવ-નારકીને હોય છે; અને કવચિત્ લબ્ધિપ્રત્યયી વૈક્રિય લબ્ધિવાળા મનુષ્યને હોય છે. આહારક શરીર ચૌદ પૂર્વધરને જ હોય ને કયાંય પણ વ્યાઘાત પામતું નથી. તેમજ જમ્મુ અને કાશ્મણ એ છેલ્લા બન્ને શરીરો અપ્રતિઘાત છે, અર્થાત લોકાંત સિવાય કયાંય પ્રતિઘાત પામતા નથી એવા સૂક્ષ્મ છે; અને જીવને અનાદિ સંબંધવાળા હોઈ સર્વ સંસારી જીવને હોય છે. આ તૈજસુ અને કાશ્મણ બન્ને સૂક્ષ્મ શરીર, જીવની જેમ, આખા સ્કૂલ શરીરમાં વ્યાપીને રહ્યા છે. તેજથી શરીરની ઉષગતા ને પાચનક્રિયાદિ થાય છે; કામણથી કોધાદિવેદનાદિ થાય છે. આ પાંચ પ્રકારના શરીરમાં કામણ સિવાયના ચારે શરીર સોપભોગ છે. અર્થાત્ તે દ્વારા સુખદુ:ખ ઉપભોગવાય છે, કર્મ બંધાય છે, વેદાય છે અને નિર્જરાય છે; પરંતુ માત્ર કામણ શરીર જ નિરુપભોગ છે, અર્થાત્ તેના વડે કરીને સુખદુ:ખ ઉપભોગવાતા નથી, કર્મ બંધાતું નથી, વેદાતું નથી અને નિર્જરાતું પણ નથી. સકર્મ સ્થિતિમાં સર્વ જીવને કામણ, તેજસ અને ઔદારિક કે વૈકિય એમ ત્રણ શરીર હોય છે; પણ એક દેહ છોડી બીજો દેહ ધારણ કરવા ગમન કરતી વેળાએ તો માત્ર તૈજસ્ અને કાશ્મણ એ બે શરીર હોય છે. (દોહરા) દેહાથે ગાળી આત્મ આ, ભમ્યો અનંતીવાર;
આત્માર્થ ગાળે દેહ તો, ભમે નહિ ફરી વાર.
शिक्षापाठ ४२ : पुनर्जन्म જ્યાંલગી કર્મમય કાર્મણ શરીર છે, ત્યાંલગી જીવ પુન: ઔદારિક કે વૈક્રિય કોઈ પણ શરીર ધારણ કરવારૂપ પુનર્જન્મ પામ્યા વિના રહેતો નથી. પૂર્વ આયુનું પૂર્ણ થવું તે મરણ અને નવીન આયુનું ઉદય આવવું તે જ જન્મ છે. સિદ્ધ જીવ કર્મ રહિત છે, તેથી તેને જન્મ મરણ નથી ને તે અવતાર ધરતા નથી. પણ સકર્મ જીવ, જીર્ણ વસ્ત્ર બદલાવી