SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પ્રશાવબોધ મોક્ષમાળા પુદગલોવાળું એવું ઔદારિક શરીર તે ગર્ભજ કે સંપૂઈન જ હોય, ને તે તિર્યંચ તથા મનુષ્યને હોય છે. વિકિયા પામનારૂં એવું વૈકિય શરીર જન્મપ્રત્યયી દેવ-નારકીને હોય છે; અને કવચિત્ લબ્ધિપ્રત્યયી વૈક્રિય લબ્ધિવાળા મનુષ્યને હોય છે. આહારક શરીર ચૌદ પૂર્વધરને જ હોય ને કયાંય પણ વ્યાઘાત પામતું નથી. તેમજ જમ્મુ અને કાશ્મણ એ છેલ્લા બન્ને શરીરો અપ્રતિઘાત છે, અર્થાત લોકાંત સિવાય કયાંય પ્રતિઘાત પામતા નથી એવા સૂક્ષ્મ છે; અને જીવને અનાદિ સંબંધવાળા હોઈ સર્વ સંસારી જીવને હોય છે. આ તૈજસુ અને કાશ્મણ બન્ને સૂક્ષ્મ શરીર, જીવની જેમ, આખા સ્કૂલ શરીરમાં વ્યાપીને રહ્યા છે. તેજથી શરીરની ઉષગતા ને પાચનક્રિયાદિ થાય છે; કામણથી કોધાદિવેદનાદિ થાય છે. આ પાંચ પ્રકારના શરીરમાં કામણ સિવાયના ચારે શરીર સોપભોગ છે. અર્થાત્ તે દ્વારા સુખદુ:ખ ઉપભોગવાય છે, કર્મ બંધાય છે, વેદાય છે અને નિર્જરાય છે; પરંતુ માત્ર કામણ શરીર જ નિરુપભોગ છે, અર્થાત્ તેના વડે કરીને સુખદુ:ખ ઉપભોગવાતા નથી, કર્મ બંધાતું નથી, વેદાતું નથી અને નિર્જરાતું પણ નથી. સકર્મ સ્થિતિમાં સર્વ જીવને કામણ, તેજસ અને ઔદારિક કે વૈકિય એમ ત્રણ શરીર હોય છે; પણ એક દેહ છોડી બીજો દેહ ધારણ કરવા ગમન કરતી વેળાએ તો માત્ર તૈજસ્ અને કાશ્મણ એ બે શરીર હોય છે. (દોહરા) દેહાથે ગાળી આત્મ આ, ભમ્યો અનંતીવાર; આત્માર્થ ગાળે દેહ તો, ભમે નહિ ફરી વાર. शिक्षापाठ ४२ : पुनर्जन्म જ્યાંલગી કર્મમય કાર્મણ શરીર છે, ત્યાંલગી જીવ પુન: ઔદારિક કે વૈક્રિય કોઈ પણ શરીર ધારણ કરવારૂપ પુનર્જન્મ પામ્યા વિના રહેતો નથી. પૂર્વ આયુનું પૂર્ણ થવું તે મરણ અને નવીન આયુનું ઉદય આવવું તે જ જન્મ છે. સિદ્ધ જીવ કર્મ રહિત છે, તેથી તેને જન્મ મરણ નથી ને તે અવતાર ધરતા નથી. પણ સકર્મ જીવ, જીર્ણ વસ્ત્ર બદલાવી
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy