SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા તે નિશ્ચયથી અ. ૮. વિ. આમ આ ત્રણ વ્રત, અણુવ્રતોને ગુણ કરતા હોવાથી ગુણવ્રત.. - નવમું સામાયિક વ્રત: સાવધ યોગથી નિવર્સી બે ઘડી (ક વધારે) સ્થિર થઈ સ્વાધ્યાયાદિ કરવા તે વ્યવહારથી સામાયિક. સર્વ જીવ પ્રત્યે રાગદ્વેષરહિત સમતાપરિણામ તે નિશ્ચયથી સામાયિક. આત્મસમાધિ ભાવે સમતાપરિણામે આ સામાયિક કરે તેટલો વખત શ્રાવક શ્રમણ સમાન હોય. દશમું દેશાવકાશિક વ્રત: દિવ્રતથી જે મર્યાદા નિયત કરી તેની અંદર પણ અમુક દેશનો જ અવકાશ રાખવો અથવા એક દેશે બેસી ધર્મધ્યાન કરવું તે વ્યવહારથી દેશા વ્રત. અન્ય દ્રવ્યથી ભિન્ન જ્ઞાયક સ્વભાવ જ આત્માનો સ્વદેશ જાણી, તેમાં જ અવકાશ પામવાનો અભ્યાસ કરવો તે નિશ્ચયથી દેશા. અગીયારમું પૌષધોપવાસ વ્રત: ચાર પ્રહર કે આઠ પ્રહર સુધી સમતાભાવી સામાયિક પરિણામે સર્વ સાવધ યોગ છોડી સ્વાધ્યાય-ધ્યાનમાં પ્રવર્તવું તે વ્યવહારથી પૌ. નિશ્ચયથી તો જ્ઞાનધ્યાનથી આત્મધર્મની પુષ્ટિ કરવી તે પૌષધ. બારમું અતિથિસંવિભાગ વ્રત: ધર્મપાલન માટે જેને સર્વ તિથિ સમાન છે એવા અતિથિરૂપ સસાધુને કે સદગૃહસ્થને પોતાને નિમિત્તે કરેલા આહારાદિમાંથી સંવિભાગ આપવો તે વ્યવહારથી અ. સં. અને બીજા જિજ્ઞાસુને જ્ઞાનદાન દઈ, પોતાના જ્ઞાનના ભાગીદાર બનાવવા તે નિશ્ચયથી અ. સં. આ ચાર વ્રત યતિધર્મના અભ્યાસની વાનકીરૂપ શિક્ષા આપનારા હોવાથી શિક્ષાવ્રત છે. આમ બાર વ્રત ધારણ ઉપરાંત, સદ્ધર્મનિષ્ઠ સદ્ગૃહસ્થ મરણ સમય નિકટ જાણી સંલેખના કરે, અર્થાત્ ધીરે ધીરે શરીરની કૃશતા કરવા સાથે કષાયની કૃશતા કરે. આ પ્રત્યેક વ્રતના તેમજ સમ્યગુદર્શનના પાંચ પાંચ અતિચાર છે. તેનો “વિહિત અનુષ્ઠાનમાં વીર્યસ્તુરણાથી” (ધર્મબિન્દુ) સમદષ્ટિ દેશવિરતિ પુરુષ જય કરે છે; અને આમ પરભાવ-વિભાવથી યથાશક્તિ વિરામ પામતો જઈ, તે આત્મસ્વભાવ ધર્મની આંશિક સાધના કરતો-પદે પદે કરીને પણ ચારિત્રધર્મ પર્વત પર
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy