________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
(ત્રોટક)
ગિરિ મેરુ સમા જિન શાસનમાં, ભગવાન સદાગમ નંદનમાં; સુરવૃક્ષ સુભાષિત રમ્ય દીસે, પ્રસરે તસ સૌરભ સર્વ દિશે. ૭
शिक्षापाठ ३४ : नव तत्त्व- सामान्य
संक्षेप स्वरूप} भाग १ સકલ જિનાગમ એ નવતત્ત્વના વિવરણરૂપ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ નવ તત્ત્વમાં સમસ્ત વિશ્વનું સમગ્ર તત્ત્વજ્ઞાન સમાઈ જાય છે. એ નવ તત્વનો જીવ-અજીવ એ બે તત્ત્વમાં સમાવેશ થાય છે, પણ ‘તે વસ્તુ વિચાર વિશેષે ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય.' આ નવ તત્ત્વનું સંક્ષેપ સ્વરૂપ અત્રે કહીશું.
જીવતત્ત્વ-જે જ્ઞાન-દર્શન પ્રાણથી ત્રણે કાળને વિષે જીવે છે એવી ચૈતન્યમય વસ્તુ તે જીવ. ચૈતન્યમય ઉપયોગ એ જ જીવનું લક્ષણ છે, જેથી તે જડ એવા અજીવથી પ્રગટ જૂદો જણાય છે. આ ઉપયોગ બે પ્રકારનો છે. વસ્તુના વિશેષ સ્વભાવને ગ્રહે તે સાકાર એવો જ્ઞાનોપયોગ અને સામાન્ય સ્વભાવને ગ્રહે તે નિરાકાર એવો દર્શનોપયોગ. ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવો જીવનું સ્વતત્ત્વ' અર્થાત્ પોતાનું ખાસ અસાધારણ તત્ત્વ છે. જીવના બે ભેદ છે-કર્મયુકત તે સંસારી ને કર્મમુકત તે મુક્ત.
અજીવ તત્ત્વ-અચેતન જડ વસ્તુ તે અજીવ. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદગલ એ પાંચ અજીવ છે. એ પાંચ તથા છઠું જીવ મળીને પદ્રવ્ય કહેવાય છે; અને તેમાં કાળ વિનાના શેષ પાંચ દ્રવ્યો પ્રદેશોના બહુત્વને લીધે પંચાસ્તિકાય કહેવાય છે. ઉક્ત છે દ્રવ્યમાં,- શબ્દ-રસ-રૂ૫-ગંધ-સ્પર્શ જેમાં છે એવું પુદ્ગલ